Wednesday, March 4, 2026

AMCની સીલિંગ ઝુંબેશ પુરબહારમાં : અમદાવાદમાં એક જ દિવસમાં 6 હજારથી વધુ મિલ્કતોને મરાયાં તાળાં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ તેના ડિફોલ્ટર્સની મિલકતને સીલ મરાઈ રહ્યાં છે. આ સીલિંગ ઝુંબેશ હેઠળ તંત્ર દ્વારા આજે શુક્રવારે મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજે એક જ દિવસમાં કોર્પોરેશન દ્વારા 6,016 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રૂપિયા 20 કરોડની આવક થઈ છે. મેગા સિલિંગ ઝુંબેશ અંતર્ગત સૌથી વધારે પૂર્વ ઝોનમાં 2,226 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે, તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 100 વ્યાજ માફીની સ્કીમ અમલમાં મૂકાઈ હતી. બાદમાં એડવાન્સ રિબેટની સ્કીમ પણ મુકાઈ છે. બીજી તરફ તંત્રના આવા પ્રયાસો છતાં પણ એક અથવા બીજા કારણસર પ્રોપર્ટી ટેક્સ સમયસર ભરવાનું ટાળનારા કરદાતાઓ પણ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ સહિત રોજ કડક સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં મિલકતો સીલ કરવામાં આવે છે. શુક્રવારે મેગા ટ્રીગર સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત સૌથી વધુ પૂર્વ ઝોનમાં 2,226, મધ્ય ઝોનમાં 681, પશ્ચિમ ઝોનમાં 772, દક્ષિણ ઝોનમાં 828, ઉત્તર ઝોનમાં 221, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 507 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 781 એમ કુલ 6,016 મિલકતો સીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...