Thursday, March 5, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મેયરના હસ્તે ફાયર સ્ટેશનનું ઉદ્ધાટન, નજીકના વિસ્તારોમાં મોટી હોનારત ટાળી શકાશે

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સ્થાપના દિવસે અમદાવાદ શહેરના બોપલમાં નવા ફાયર સ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરના મેયર કિરીટ પરમારના હસ્તે ફાયર સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર સાથે ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશનના હોદ્દેદારો અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા. બોપલ ફાયર સ્ટેશન શરૂ થતા અમદાવાદમાં કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બોપલ ફાયર સ્ટેશન 10.84 કરોડ ઉપરના ખર્ચે તૈયાર કરાયુ છે.જેના કારણે આસપાસ આવેલા શીલજ,ઘુમા,સનાથલ સહિતના વિસ્તારને તેનો સીધો લાભ થશે. તો સાણંદ જીઆઇડીસી સહિતના વિસ્તારને પણ સીધો લાભ થશે અને મોટી દુર્ઘટના થતા ટાળી શકશે. જ્યાં વાહન રાખવાની જગ્યા, એક ગેરેજ, બે ઓફિસર સ્ટાફ કવાટર્સ અને 42 કર્મચારી માટે કવાટર્સ બનાવાયા છે. જે બોપલ ફાયર સ્ટેશન હાલમાં 6 વાહનો અને જરૂરી સ્ટાફ સાથે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. તો સાથે જ 43 કરોડના ખર્ચે 30 જેટલા નવા વાહનોનો પણ ઉમેરો અમદાવાદ ફાયર બ્રિગેડમાં કરવામાં આવ્યો.

બોપલ વિસ્તાર કોર્પોરેશનમાં ભળતા અનેકવિધ સુવિધા આ વિસ્તારમાં ઉભી કરવામાં આવી રહી છે. અને તેમાં પણ બોપલ વિસ્તારમાં આગ કે અન્ય ઘટના બને તો અન્ય ફાયર સ્ટેશનથી વ્હીકલ પહોંચવામાં સમય લાગતો હતો. તાજેતરમાં થોડા મહિના પહેલા ઘુમામાં લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડ મોડી પહોચી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય અને આગ કે અન્ય ઘટનામાં પહોંચતા ફાયર બ્રિગેડને વધુ સમય ન લાગે માટે કોર્પોરેશન દ્વારા અન્ય સુવિધા સાથે બોપલ વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન કાર્યરત કરાયુ છે.

આ ફાયર સ્ટેશનમાં નાના રસ્તામાં પસાર થઈ બનાવ સ્થળ પર પહોંચી શકે તે માટે બનાવેલ 7 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કટર સહિતના સાધનો સાથેના વાહનો સાથે કામ કરશે. તો તેની સાથે 8 હજાર પાણીની કેપેસિટી વાળા 6 વાહન. 12 હજાર પાણી કેપેસિટી વાળા 6 વાહન અને 20 હજાર કેપેસિટી વાળા 3 વાહન. તેમજ 5 એમ્બ્યુલન્સ અને શબવાહીની એમ 43 કરોડના ખર્ચે નવા વાહનો ઉમેરાયા. જે વાહન હાલના ફાયર બ્રિગેડ પાસે રહેલા વાહનો કે જેમાં 30 વાહનો સરકારી નિયમ પ્રમાણે 15 વર્ષે સ્ક્રેપ કરવાના હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...