Thursday, March 5, 2026

જો આપનું વાહન ચોરાય છે તો તરત જ ફરિયાદ કરજો, નહિ તો ફસાઈ જશો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગુનેગારો એટલા બધા શાતિર થઇ ગયા છે કે, હવે તેઓ પહેલાં વાહન ચોરી કરે છે અને બાદમાં તેના પર ચોરી, લૂંટ અથવા ચીલ ઝડપ કરવા માટે નીકળે છે. જો તમારું વાહન ચોરાય તો તરત જ પોલીસ ફરિયાદ કરી દેજો, નહીં તો ગુનાના આરોપસર પોલીસ તમારી આકરી પૂછપરછ કરી શકે છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ તેમજ સીટીએમના મહાલક્ષ્મી જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ બંને ચકચારી કિસ્સામાં લૂંટારાએ ચોરીનાં વાહનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે, જ્યારે થોડા દિવસ પહેલાં સીજી રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૫૦ લાખ ભરેલી બેગની ચીલ ઝડપ થઇ હતી. જેમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.

જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છો. હાલમાં ચોરી, લૂંટના જે બનાવો બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી હિતાવહ છે. શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે જેમાં કેટલીક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે. જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇને નાસી જાય તે રીતનો પ્લાન ઘડીને અમદાવાદમાં થઇ રહેલી લૂંટનું આયોજન કરવામાં આવતું હોય છે. લૂટારુંઓ પહેલાં બાઇકની ચોરી કરતા હોય છે અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપતા હોય છે. લૂંટ થઇ ગયા બાદ આરોપી એ બાઇકને બિનવારસી મૂકીને નાસી જાય છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કોઇ પણ લૂંટ, ચેઇન સ્નેચિંગ, પર્સ સ્નેચિંગ, ચીલ ઝડપની ઘટનાઓ બને છે તેમાં ચોરીનાં બાઇકનો ઉપયોગ થાય છે. ગત મહિને મેમ્કો વિસ્તારમાં આવેલા શિવકૃપા જ્વેલર્સમાં હથિયાર લઇને શખ્સો આવ્યા હતા. જ્વેલર્સના માલિક પૂજા કરતા હતા ત્યારે લૂંટારુઓએ તેમને રિવોલ્વર બતાવીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ બૂમાબૂમ કરતાં તે બાઇક લઇને ભાગી ગયા હતા. લૂંટારા પોતાનું બાઇક ચામુંડા બ્રિજની નીચે મૂકીને નાસી છુટ્યા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે બાઇક જમા કર્યું છે. ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઇક ચોરીનું છે. જેની ફરિયાદ ગાંધીનગર ઇન્ફોસિટીમાં નોંધાઇ છે. આ સિવાય સીટીએમ ખાતે આવેલા મહાલક્ષ્મી જ્વેલર્સમાં પણ લૂંટારા બંદૂક લઇને ધસી આવ્યા હતા અને લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે સોનીએ પ્રતિકાર કરતાં લૂંટારા નાસી છુટ્યા હતા. આ ઘટનામાં પણ ટુ વ્હીલર ચોરી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા સી.જી.રોડ આંગડિયા પેઢીના કર્મચારી 50 લાખ રૂપિયા લઇને જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સો બેગ ખેંચીને નાસી ગયા હતા. આ કેસમાં પણ ચોરીના બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે.

મોટાભાગના કેસોમાં પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જે બાઇકનો ઉપયોગ થયો હતો તેમાં પોલીસે બાઇકના માલિકની અટકાયત કરતી હોય છે અને બાદમાં લૂંટમાં ભોગ બનનાર લોકોને બતાવતા હોય છે. વાહનના માલિક લૂંટારાને ઓળખવાનો ઇનકાર કરી દે તો પણ તેમને થર્ડ ડીગ્રીનો પણ સામનો કરવો પડે છે. જો વાહનના માલિક પોલીસ ફરિયાદ તરત જ કરી દે તો તેમને થર્ડ ડીગ્રીનો સામનો કરવો પડતો નથી. ટુ વ્હીલરનો ઉપયોગ ચોરી, લૂંટ માટે થાય છે જ્યારે કારનો ઉપયોગ ફાયરિંગ, દારૂની ખેપ તેમજ અપહરણ કરવા જેવા મામલે થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...