Thursday, March 5, 2026

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી : ધોરણ-12 સાયન્સના રિઝલ્ટે ખોલી પોલ, સ્કૂલોને માત્ર ફીમાં રસ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોય એવું જાણકારો જણાવી રહ્યા છે. સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ખરી વાસ્તવિકતા કંઇક અલગ છે. જેનું જીવતું જાગતું ઉદારહણ ધો. 12 સાયન્સના રિઝલ્ટમાં જોવા મળી છે. આ વર્ષનું રિઝલ્ટ 13 વર્ષમાં સૌથી નીચું ગયું છે.ધો.12 સાયન્સના પરિણામમાં એ ગ્રુપમાં કુલ 29,163 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે ડિગ્રી ઈજનેરીમાં 68,800થી વધારે બેઠકો ઉપલબ્ધ છે. પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવે તો પણ 35 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. ગત વર્ષે ઊંચુ પરિણામ હોવા છતાં 30 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. દિલ્હીથી શિક્ષણની તુલના કરતી ગુજરાત સરકારે ધોરણ 12ના પરિણામનું વિશ્લેષણ કરવાની જરૂર છે.

ગુજરાતમાં ફક્ત મસમોટી વાતો અને તોતિંગ ફી જ લેવાય છે. વિદ્યાર્થીઓએ ટ્યૂશન થકી સ્કૂલમાં પાસ થવું પડતું હોય તો સ્કૂલોની કેવી દશા હશે એ વિચાર કરવો જ અઘરો છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું રિતસરનું શોષણ થાય છે અને ઓછા પગારમાં નોકરી કરતા શિક્ષકોની લાયકાત પણ એવી જ હોય છે. આમ છતાં વાલીઓ પાસે હવે ઓપ્શન પણ નથી. ગુજરાતમાં શિક્ષણ એ ધંધો બની ગયું હોય તેમ માત્ર બાળકોની સંખ્યા ફી વધારવા સામે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત બાજુમાં રહી ગઈ છે.

આ ઉપરાંત ગુજરાતમાં એમાંય ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં ખાનગી કોચિંગ ક્લાસીસ અને ડમી સ્કૂલનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેને કારણે નિયમિત ચાલતી સ્કૂલોમાં 11 અને 12 સાયન્સના વર્ગ ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે નિયમિત ચાલતી સ્કૂલોમાં 11 અને 12 સાયન્સના વર્ગમાં નિયમિત શિક્ષકોનો સંપૂર્ણપણે અભાવ છે. મોટાભાગની સ્કૂલોમાં પૂરતા ડિગ્રી ધારક શિક્ષકો હોતા નથી, બહારથી વિઝીટીંગ શિક્ષકોને બોલાવી અભ્યાસક્રમ જેમ તેમ પૂરો કરી માત્ર ફાંકા ફોજદારી કરવામાં આવે છે.

ધો-10 બાદ તરત વિદ્યાર્થીઓ ધોરણ 11માં આવતા જ કોચિંગમાં એડમિશન લઈ લે છે, ક્યાંક સ્કૂલો દ્વારા જ ચોક્કસ કોચિંગ ક્લાસ આગ્રહ કરવામાં આવે છે તો ક્યાંક સ્કૂલો પોતાના અંગત કોચિંગ ક્લાસ ચલાવતી હોય છે, ઘણીવાર શહેરના જાણીતા કોચિંગ ક્લાસ દ્વારા જ ડમી સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ સહીત અનેક મોટા શહેરોમાં જાણીતા કોચિંગ ક્લાસ દ્વારા જ પોતાના લાગતા વળગતાં વાળા ડમી સ્કૂલ ખોલી દેવામાં આવે છે, જેના કારણે સ્કૂલમાંથી જ તૈયારી કરાવવાની પ્રથા ધીમે ધીમે દૂર થઈ રહી છે અને વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસીસ પર નિર્ભર બની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.12 સાયન્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગતવર્ષે સમગ્ર રાજ્યમાંથી 196 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મેળવ્યો હતો, જેની સામે આજે જાહેર કરાયેલા પરિણામમાં માત્ર 61 વિદ્યાયીઓ A1 ગ્રેડ મેળવી શક્યા છે. આમ, ગત વર્ષ કરતાં A1માં 135 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે પણ સુરતના 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને અમદાવાદને પાછળ રાખી દીધું છે. 17 કેન્દ્રમાં એકપણ વિધાર્થી A1 ગ્રેડ મેળવી શક્યો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...