Wednesday, March 11, 2026

1લી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, ફિટનેસ સર્ટિફિકેટ ક્યાંથી અને કેવી રીતે મેળવશો?

spot_img
Share

અમદાવાદ : આગામી 1લી જુલાઈથી અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન સાથે ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજીયાત કરાયા છે. જેમાં અમરનાથ યાત્રાએ જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જનારાઓની સંખ્યા વધુ હોય છે. જેમાં ગુજરાતમાંથી દર વર્ષે 10 થી 12 હજાર લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. આ સાથે અમરનાથના બર્ફીલા ભોલેનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જાય છે. અમરનાથ ધામ એ બરફની વચ્ચે ઊંચાઈ પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓને ત્યાં જવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે.

સૌપ્રથમ અમરનાથ યાત્રાની વેબસાઈટ પરથી ફિટનેસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવી જરૂરી માહિતી ભરો. ત્યારબાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ સિવિલ હોસ્પિટલના ઓપીડી ડિપાર્ટમેન્ટમાં જવું. હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ મુજબ જે તે રિપોર્ટ કરાવવાના રહેશે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય યોગ્ય જણાશે તો તેમને મેડીકલ સર્ટિફિકેટ આપવામાં આવશે.13 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે. ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મૂકાયેલ વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

અમદાવાદ શહેરમાંથી અમરનાથના દર્શન કરવા જનાર શ્રદ્ધાળુઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ પોતાની સાથે 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી એક) ની ઓરિજિનલ અને ઝેરોક્ષ નકલ તેમજ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ (બે નકલ) સાથે રૂબરૂ આવવાનું રહેશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને તકલીફ પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલમાં કેસબારી, લેબોરેટરી રૂમ, ઇસીજી અને અન્ય તબીબી તપાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓ પોતાનુ મેડીકલ ચેક અપ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. જેની કોઈ ફી લેવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...