Monday, August 3, 2026

1લી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, ફિટનેસ સર્ટિફિકેટ ક્યાંથી અને કેવી રીતે મેળવશો?

spot_img
Share

અમદાવાદ : આગામી 1લી જુલાઈથી અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન સાથે ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજીયાત કરાયા છે. જેમાં અમરનાથ યાત્રાએ જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જનારાઓની સંખ્યા વધુ હોય છે. જેમાં ગુજરાતમાંથી દર વર્ષે 10 થી 12 હજાર લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. આ સાથે અમરનાથના બર્ફીલા ભોલેનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જાય છે. અમરનાથ ધામ એ બરફની વચ્ચે ઊંચાઈ પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓને ત્યાં જવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે.

સૌપ્રથમ અમરનાથ યાત્રાની વેબસાઈટ પરથી ફિટનેસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવી જરૂરી માહિતી ભરો. ત્યારબાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ સિવિલ હોસ્પિટલના ઓપીડી ડિપાર્ટમેન્ટમાં જવું. હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ મુજબ જે તે રિપોર્ટ કરાવવાના રહેશે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય યોગ્ય જણાશે તો તેમને મેડીકલ સર્ટિફિકેટ આપવામાં આવશે.13 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે. ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મૂકાયેલ વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

અમદાવાદ શહેરમાંથી અમરનાથના દર્શન કરવા જનાર શ્રદ્ધાળુઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ પોતાની સાથે 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી એક) ની ઓરિજિનલ અને ઝેરોક્ષ નકલ તેમજ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ (બે નકલ) સાથે રૂબરૂ આવવાનું રહેશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને તકલીફ પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલમાં કેસબારી, લેબોરેટરી રૂમ, ઇસીજી અને અન્ય તબીબી તપાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓ પોતાનુ મેડીકલ ચેક અપ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. જેની કોઈ ફી લેવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...