Sunday, January 25, 2026

1લી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ, ફિટનેસ સર્ટિફિકેટ ક્યાંથી અને કેવી રીતે મેળવશો?

spot_img
Share

અમદાવાદ : આગામી 1લી જુલાઈથી અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન સાથે ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજીયાત કરાયા છે. જેમાં અમરનાથ યાત્રાએ જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જનારાઓની સંખ્યા વધુ હોય છે. જેમાં ગુજરાતમાંથી દર વર્ષે 10 થી 12 હજાર લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. આ સાથે અમરનાથના બર્ફીલા ભોલેનાથ દાદાના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ જાય છે. અમરનાથ ધામ એ બરફની વચ્ચે ઊંચાઈ પર આવેલું હોવાથી શ્રદ્ધાળુઓને ત્યાં જવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે.

સૌપ્રથમ અમરનાથ યાત્રાની વેબસાઈટ પરથી ફિટનેસ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. ત્યારબાદ તેની પ્રિન્ટ કઢાવી જરૂરી માહિતી ભરો. ત્યારબાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ સિવિલ હોસ્પિટલના ઓપીડી ડિપાર્ટમેન્ટમાં જવું. હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ મુજબ જે તે રિપોર્ટ કરાવવાના રહેશે. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય યોગ્ય જણાશે તો તેમને મેડીકલ સર્ટિફિકેટ આપવામાં આવશે.13 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે. ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મૂકાયેલ વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં.

અમદાવાદ શહેરમાંથી અમરનાથના દર્શન કરવા જનાર શ્રદ્ધાળુઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. જેમાં યાત્રાળુઓ પોતાની સાથે 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પૈકી એક) ની ઓરિજિનલ અને ઝેરોક્ષ નકલ તેમજ ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ (બે નકલ) સાથે રૂબરૂ આવવાનું રહેશે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતા જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને તકલીફ પડે નહીં તે માટે સિવિલ હોસ્પિટલમાં કેસબારી, લેબોરેટરી રૂમ, ઇસીજી અને અન્ય તબીબી તપાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓ પોતાનુ મેડીકલ ચેક અપ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકશે. જેની કોઈ ફી લેવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...