Thursday, March 12, 2026

વાડજ મેટ્રો સ્ટેશનની છત પરથી પોપડા ખર્યાની ઘટનાને લઈને મેટ્રો તંત્ર શું કહે છે, જાણો

spot_img
Share

અમદાવાદ : 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરીકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. બીઆરટીએસ, એએમટીએસ બાદ અમદાવાદીઓ સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અચાનક હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ કરતા જ આવેલા છતનું પોપડા પડ્યાની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલ વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે જ શુક્રવારે છત પરથી કેટલોક ભાગ ખરીને પડ્યો હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના આધારે મીડિયાની ટીમ વાડજ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. જ્યા કઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જગ્યા પર નુકસાન થયું હતું તેને હટાવી તાત્કાલિક સમારકામ કરી દેવામાં આવ્યું છે.

નોંધનિય છે કે મેટ્રો સેવા શરૂ થયાના હજુ ગણતરીના મહિનાઓ થયા છે ત્યા આ પ્રકારની ઘટના બની રહી છે તે કેટલું યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે મેટ્રો તંત્ર સ્વ બચાવ કરતા કહે છે કે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જો ક્યાંક આ પ્રકારની ગંભીર બેદરકારી અન્ય જગ્યા થઇ હોત તો મોટી જાનહાનિ થઇ શકી હોત.

હાલ તો મેટ્રો સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ દુર્ઘટના બની નથી. પણ આજે મેટ્રો સ્ટેશન બાંધકામ બન્યા તેના હજુ મહિનાઓ થયા છે ત્યા જ આ પ્રકારના ઘટના ઘણી ગંભીર કહી શકાય. મેટ્રો માટે આ લાલ બતી સમાન કિસ્સો કહી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...