Monday, January 19, 2026

વાડજ મેટ્રો સ્ટેશનની છત પરથી પોપડા ખર્યાની ઘટનાને લઈને મેટ્રો તંત્ર શું કહે છે, જાણો

spot_img
Share

અમદાવાદ : 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.લોકાર્પણ કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરીકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. બીઆરટીએસ, એએમટીએસ બાદ અમદાવાદીઓ સૌથી વધુ મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અચાનક હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ કરતા જ આવેલા છતનું પોપડા પડ્યાની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલ વાડજ મેટ્રો સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે જ શુક્રવારે છત પરથી કેટલોક ભાગ ખરીને પડ્યો હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેના આધારે મીડિયાની ટીમ વાડજ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. જ્યા કઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે જગ્યા પર નુકસાન થયું હતું તેને હટાવી તાત્કાલિક સમારકામ કરી દેવામાં આવ્યું છે.

નોંધનિય છે કે મેટ્રો સેવા શરૂ થયાના હજુ ગણતરીના મહિનાઓ થયા છે ત્યા આ પ્રકારની ઘટના બની રહી છે તે કેટલું યોગ્ય કહેવાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે મેટ્રો તંત્ર સ્વ બચાવ કરતા કહે છે કે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જો ક્યાંક આ પ્રકારની ગંભીર બેદરકારી અન્ય જગ્યા થઇ હોત તો મોટી જાનહાનિ થઇ શકી હોત.

હાલ તો મેટ્રો સ્વબચાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ દુર્ઘટના બની નથી. પણ આજે મેટ્રો સ્ટેશન બાંધકામ બન્યા તેના હજુ મહિનાઓ થયા છે ત્યા જ આ પ્રકારના ઘટના ઘણી ગંભીર કહી શકાય. મેટ્રો માટે આ લાલ બતી સમાન કિસ્સો કહી શકાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...