અમદાવાદ : ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય પારો અત્યારથી જ ઉંચકાયો છે. રાજ્ય ચૂંટણી પંચ અને સરકાર દ્વારા વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ઉમેદવારોના પસંદગીના માપદંડોને લઈને અત્યંત મહત્વનો ર્નિણય લીધો છે. ગત મ્યુ ચુંટણીઓ દરમિયાન ભાજપ દ્વારા લાગુ કરાયેલ આ વખતે પણ પોતાની કડક ‘નો-રિપીટ‘ થીયરી ચાલુ રાખશે, જેના કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષે આ વખતે યુવાઓને મેદાનમાં ઉતારવા પર વધુ ભાર મૂક્યો છે. ભાજપે ર્નિણય લીધો છે કે જે નેતાઓ ત્રણ ટર્મથી વધુ સમયથી ચૂંટણી લડ્યા છે અથવા જેઓની વય 60 વર્ષથી વધુ છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. આ આકરા ર્નિણયને કારણે વર્ષોથી સત્તામાં રહેલા અનેક ‘જૂના જાેગીઓ‘ માં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, હાલમાં એવા 32 જેટલા કોર્પોરેટરો છે જેઓ કાં તો ત્રણ ટર્મ પૂરી કરી ચૂક્યા છે અથવા વયમર્યાદાના કારણે ભાજપના નવા ધારાધોરણોમાં ફિટ બેસતા નથી. પરિણામે, અમદાવાદમાં જ મોટાપાયે નવા ચહેરાઓને તક મળી શકે છે.
બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બદલી છે. કોંગ્રેસ હવે જૂના નેતાઓના સ્થાને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહેનારા યુવા કાર્યકરો પર મદાર બાંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બદલાયેલા સમીકરણોમાં કોંગ્રેસ પરિવારવાદને પણ મહત્વ આપી શકે છે અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ભાજપને ટક્કર આપવા માટે ‘આયાતી‘ (અન્ય વિસ્તારના સક્ષમ) ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.આગામી દિવસોમાં જ્યારે સંગઠન દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરવામાં આવશે, ત્યારે ટિકિટ વાંચ્છુઓની દોડધામમાં વધારો થવો નિશ્ચિત છે.


