Saturday, November 8, 2025

અમદાવાદીઓ સાવધાન, જાહેરમાં પાનની પીચકારી મારી તો દંડ ભરવા તૈયાર રહેજો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સ્વચ્છતા જાળવવા નવી પહેલ AMC દ્વારા શરૂ કરાઈ છે. અમદાવાદમાં પાન મસાલાના શોખીનો ગલીએ ગલીએ છે. ત્યારે આ પાન મસાલા જાહેરમાં પીચકારી મારતા હોય છે. આવામાં AMCએ આવા વ્યસનીઓ પર લાલ આંખ કરી છે, જેઓ જાહેરમાં પાનની પીચકારી મારીને ગંદકી ફેલાવી રહ્યાં છે. અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનાર અને પાનની પીચકારી મારનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે. AMCએ આવા લોકો પાસેથી દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. ગંદકી કરતા વ્યસનીઓને ઈ-મેમો ફટકારવામાં આવશે.

અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો માટે આ સમાચાર ઝટકા સમાન છે. પરંતુ સતત વધી રહેલા આ વ્યસનનો શોખ હવે શહેરના રસ્તાઓને લાલઘૂમ કરી રહ્યો છે. રસ્તાઓ લાલ રંગથી રંગાઈ રહ્યાં છે. ગંદકી ફેલાઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહિ, સુરતમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રાખવામાં આવશે. જેના દ્વારા જાહેરમાં થૂંકનારાઓની માહિતી પોલીસને મોકલવામા આવશે. પોલીસ દ્વારા આવા લોકોને દંડ ફટકારવામા આવશે. જાહેરમાં પીચકારી મારતા પકડાયા તો સીધો મેમો ઘરે જ આવશે. તેથી આવુ કરનારા દંડ ભરવા તૈયાર રહેજો.એક રિપોર્ટ મુજબ, સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારા 18,000 લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

સ્વચ્છતા જાળવવા માટે ગુજરાતના શહેરોએ કમર કસી છે. આવામાં પાન-મસાલાનું દૂષણ મોટું વ્યસન બનીને ઉભરી રહ્યું છે. તેના પર લગામ લાવવા માટે આ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...