Wednesday, March 11, 2026

અમદાવાદમાં IPS બનવા કોલેજમાંથી દિલ્હી ભાગી ગયેલી યુવતી ગાંધીનગરમાંથી મળી, પોલીસ પણ ચોંકી ઉઠી

spot_img
Share

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી 17 વર્ષની છોકરી IPS બનવા માટે કોલેજમાંથી ભાગી ગઈ હતી. જોકે દિવસો બાદ આ યુવતી આખરે ગાંધીનગરની એક હોસ્ટેલમાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે ફરીથી યુવતીનું તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે ભણવામાં હોંશિયાર છે અને તેણે પોતાના પગ પર ઊભા થવું છે, પરંતુ માતા-પિતા અત્યારથી તેને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આથી તે ઘર છોડીને ભાગી ગઈ હતી.

વિગતો મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ખોખરાની એક કોલેજમાં એફવાય બીબીએનો અભ્યાસ કરે છે. 2 મેના રોજ સગીરા તેની માતા સાથે નવરંગપુરા સ્થિત એક કોલેજમાં પરીક્ષા આપવા અંદર ગઈ પરંતુ બહાર ન આવતા માતાએ શોધખોળ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી સગીરાએ લખેલી એક ચિટ્ઠી મળી આવી હતી. જેમાં એવું લખાણ હતું કે, તે IPS બનવા માંગતી હોવાથી દિલ્હી જાય છે અને તેને કોઈ શોધતા નહીં.

આથી ચિંતિત પરિવારે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં દીકરી ગુમ થઈ હોવા અંગે ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યુવતી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ફ્લાઈટમાં બેસીને છેક દિલ્હી સુધી એકલા જઈ આવી. ત્યાંથી તેણે UPSC સેન્ટરની મુલાકાત લઈને IPS બનવાની તમામ પ્રક્રિયાની માહિતી મેળવી અને ફરી ગુજરાત પાછી આવી હતી. જોકે ઘરે જવાના બદલે તે ગાંધીનગરની એક હોસ્ટેલમાં રોકાઈ ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા યુવતીના લોકેશનને આધારે તેને શોધી કાઢવામાં આવી હતી.

નોંધનીય છે કે, યુવતીની મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા નાની દીકરી માટે ચિંતિત હતા. બીજી તરફ યુવતી તેની માતા ઓછું ભણેલી હોવાથી ઘર કામમાં રહેતી પણ તે આ કામ કરવા નહોતી માગતી અને પોતાનું ભવિષ્ય બનાવવા માગતી હતી. ત્યારે પોલીસે યુવતીને તથા તેના માતા-પિતા બંનેને સમજાવી હતી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...