Thursday, January 15, 2026

અમદાવાદમાં IPS બનવા કોલેજમાંથી દિલ્હી ભાગી ગયેલી યુવતી ગાંધીનગરમાંથી મળી, પોલીસ પણ ચોંકી ઉઠી

spot_img
Share

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી 17 વર્ષની છોકરી IPS બનવા માટે કોલેજમાંથી ભાગી ગઈ હતી. જોકે દિવસો બાદ આ યુવતી આખરે ગાંધીનગરની એક હોસ્ટેલમાંથી મળી આવી હતી. જે બાદ પોલીસે ફરીથી યુવતીનું તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે ભણવામાં હોંશિયાર છે અને તેણે પોતાના પગ પર ઊભા થવું છે, પરંતુ માતા-પિતા અત્યારથી તેને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા. આથી તે ઘર છોડીને ભાગી ગઈ હતી.

વિગતો મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ખોખરાની એક કોલેજમાં એફવાય બીબીએનો અભ્યાસ કરે છે. 2 મેના રોજ સગીરા તેની માતા સાથે નવરંગપુરા સ્થિત એક કોલેજમાં પરીક્ષા આપવા અંદર ગઈ પરંતુ બહાર ન આવતા માતાએ શોધખોળ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી સગીરાએ લખેલી એક ચિટ્ઠી મળી આવી હતી. જેમાં એવું લખાણ હતું કે, તે IPS બનવા માંગતી હોવાથી દિલ્હી જાય છે અને તેને કોઈ શોધતા નહીં.

આથી ચિંતિત પરિવારે ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં દીકરી ગુમ થઈ હોવા અંગે ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન યુવતી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી ફ્લાઈટમાં બેસીને છેક દિલ્હી સુધી એકલા જઈ આવી. ત્યાંથી તેણે UPSC સેન્ટરની મુલાકાત લઈને IPS બનવાની તમામ પ્રક્રિયાની માહિતી મેળવી અને ફરી ગુજરાત પાછી આવી હતી. જોકે ઘરે જવાના બદલે તે ગાંધીનગરની એક હોસ્ટેલમાં રોકાઈ ગઈ હતી. ત્યારે પોલીસ દ્વારા યુવતીના લોકેશનને આધારે તેને શોધી કાઢવામાં આવી હતી.

નોંધનીય છે કે, યુવતીની મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા નાની દીકરી માટે ચિંતિત હતા. બીજી તરફ યુવતી તેની માતા ઓછું ભણેલી હોવાથી ઘર કામમાં રહેતી પણ તે આ કામ કરવા નહોતી માગતી અને પોતાનું ભવિષ્ય બનાવવા માગતી હતી. ત્યારે પોલીસે યુવતીને તથા તેના માતા-પિતા બંનેને સમજાવી હતી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...