Wednesday, March 4, 2026

રાજયમાં નવી બે ખાનગી મેડીકલ કોલેજોને મંજૂરી અપાઈ : 300 બેઠકોનો વધારો

spot_img
Share

અમદાવાદ તા.17 : રાજયમાં કલોલની નવી બે ખાનગી મેડીકલ કોલેજને મંજૂરી મળતા મેડીકલની 300 બેઠકોનો વધારો થવા પામેલ છે. આગામી દિવસોમાં નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલ પ્રવેશ સમિતી દ્વારા પ્રવેશનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે.

મેડીકલમાં પ્રવેશ માટે ઓવરઓલ અંદાજે 6400 બેઠકો ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવેલ છે કે નેશનલ મેડીકલ કમીશન દ્વારા ચાલુ વર્ષે રાજયમાં બે નવી પ્રાઈવેટ મેડીકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદની પાસે કલોલમાં જ આ બન્ને પ્રાઈવેટ કોલેજો શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આ બન્ને કોલેજોમાં 150 પ્રમાણે કુલ 300 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયામાં આ બન્ને કોલેજોની બેઠકોને સામેલ કરી દેવામાં આવશે.

આમ, રાજયમાં બે મેડિકલ કોલેજોનો વધારો થતા 300 જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. રાજયમાં હાલમાં 6400 બેઠકો ઉપલબ્ધ છે. હાલમાં કલોલ વિસ્તારમાં જ બે મેડીકલ કોલેજોને મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રાજયમાં અન્ય વિસ્તારોમાં પણ નવી મેડીકલ કોલેજોને મંજુરી આપવામાં આવે તો બેઠકોમાં હજુ વધારો થઈ શકે તેમ છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં કેટલી કોલેજોને સામેલ કરવામાં આવશે અને કેટલી બેઠકો રહેશે તે સહિતનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...