Saturday, January 17, 2026

રાજયમાં નવી બે ખાનગી મેડીકલ કોલેજોને મંજૂરી અપાઈ : 300 બેઠકોનો વધારો

spot_img
Share

અમદાવાદ તા.17 : રાજયમાં કલોલની નવી બે ખાનગી મેડીકલ કોલેજને મંજૂરી મળતા મેડીકલની 300 બેઠકોનો વધારો થવા પામેલ છે. આગામી દિવસોમાં નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડીકલ પ્રવેશ સમિતી દ્વારા પ્રવેશનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે.

મેડીકલમાં પ્રવેશ માટે ઓવરઓલ અંદાજે 6400 બેઠકો ઉપલબ્ધ છે. સૂત્રોએ જણાવેલ છે કે નેશનલ મેડીકલ કમીશન દ્વારા ચાલુ વર્ષે રાજયમાં બે નવી પ્રાઈવેટ મેડીકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. અમદાવાદની પાસે કલોલમાં જ આ બન્ને પ્રાઈવેટ કોલેજો શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આ બન્ને કોલેજોમાં 150 પ્રમાણે કુલ 300 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં થનારી પ્રવેશ પ્રક્રિયામાં આ બન્ને કોલેજોની બેઠકોને સામેલ કરી દેવામાં આવશે.

આમ, રાજયમાં બે મેડિકલ કોલેજોનો વધારો થતા 300 જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. રાજયમાં હાલમાં 6400 બેઠકો ઉપલબ્ધ છે. હાલમાં કલોલ વિસ્તારમાં જ બે મેડીકલ કોલેજોને મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં રાજયમાં અન્ય વિસ્તારોમાં પણ નવી મેડીકલ કોલેજોને મંજુરી આપવામાં આવે તો બેઠકોમાં હજુ વધારો થઈ શકે તેમ છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં કેટલી કોલેજોને સામેલ કરવામાં આવશે અને કેટલી બેઠકો રહેશે તે સહિતનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...