Wednesday, March 11, 2026

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ : ફાસ્ટેગ કાર પાર્કિંગનો ફાયદો શું ? જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે અને તેટલી જ સંખ્યામાં વાહનો પણ આવે છે. આ વાહનો યોગ્ય જગ્યા પર પાર્ક થાય તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાર્જ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ પાર્કિંગ વ્યવસ્થામાં વધુ એક ફાસ્ટેગ કાર પાર્કિંગ સુવિધા ઉમેરવામાં આવી છે.

સર્વ પ્રથમ આપણે જાણી લઈએ કે આજથી જ અમદાવાદના એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગને લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આપ જો પોતાના સ્વજનોને પીકઅપ કે ડ્રોપ કરવા અહીં જઈ રહ્યા છો તો આ અંગે જાણી લેવું જરૂરી છે. આ એક ઈલેક્ટ્રિકલ ટોલ કલેક્શન સિસ્ટમ છે. જેમાં ફાસ્ટેગમાંથી જવાનું છે. એરપોર્ટ પર વાહનોની અવરજવરને ઝડપી કરવા માટે આ સુવિધા ઊભી કરાઈ છે. હાલમાં આ સુવિધા સાથે એરપોર્ટના સત્તાધિશોનું માનવું છે કે, તેનાથી વાહનોની આવા-જાહી ઝડપી બનશે અને સમય તથા ઈંધણ બચશે. મહત્વની બાબત એ પણ છે કે ફાસ્ટેગ પાર્કિંગને કારણે રોકડ વ્યવહારોની જરૂરિયાતોને સંતોષી શકાશે. સરળ અને ઝડપી પાર્કિંગનો લોકોને એક ખાસ વિકલ્પ મળશે. કારણ કે મુસાફરોને અહીં રોકડ નહીં પણ ફાસ્ટેગથી પેમેન્ટ કરવામાં આવશે. હા, પણ તે પહેલા ફાસ્ટેગમાં પુરતું બેલેન્સ છે કે કેમ તે અવશ્ય ચકાસી લેજો.

ફાસ્ટેગ લેનમાં પ્રવેશેલા વાહને બહાર નીકળવા માટે પણ તે જ લેનનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનો પાર્કિંગ ચાર્જ ચુકવ્યા પછી વધારાનો કોઈ ખર્ચ ચુકવવાનો થતો નથી. જો ફાસ્ટેગ કાર પાર્કિંગની સુવિધાનો ઉપયોગ કરવા માગતા હોવ, તો કારમાં ફાસ્ટેગ લગાવેલું અને તેમાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે. બસ આનાથી છૂટ્ટાની માથાકૂટ રહેશે નહીં, કારની લાંબી લાઈનોમાં અટકવું પડશે નહીં અને અવરજવરને ઝડપી બનાવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...