Tuesday, January 13, 2026

અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ : ફાસ્ટેગ કાર પાર્કિંગનો ફાયદો શું ? જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે અને તેટલી જ સંખ્યામાં વાહનો પણ આવે છે. આ વાહનો યોગ્ય જગ્યા પર પાર્ક થાય તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ચાર્જ પણ રાખવામાં આવ્યો છે. પરંતુ પાર્કિંગ વ્યવસ્થામાં વધુ એક ફાસ્ટેગ કાર પાર્કિંગ સુવિધા ઉમેરવામાં આવી છે.

સર્વ પ્રથમ આપણે જાણી લઈએ કે આજથી જ અમદાવાદના એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગને લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આપ જો પોતાના સ્વજનોને પીકઅપ કે ડ્રોપ કરવા અહીં જઈ રહ્યા છો તો આ અંગે જાણી લેવું જરૂરી છે. આ એક ઈલેક્ટ્રિકલ ટોલ કલેક્શન સિસ્ટમ છે. જેમાં ફાસ્ટેગમાંથી જવાનું છે. એરપોર્ટ પર વાહનોની અવરજવરને ઝડપી કરવા માટે આ સુવિધા ઊભી કરાઈ છે. હાલમાં આ સુવિધા સાથે એરપોર્ટના સત્તાધિશોનું માનવું છે કે, તેનાથી વાહનોની આવા-જાહી ઝડપી બનશે અને સમય તથા ઈંધણ બચશે. મહત્વની બાબત એ પણ છે કે ફાસ્ટેગ પાર્કિંગને કારણે રોકડ વ્યવહારોની જરૂરિયાતોને સંતોષી શકાશે. સરળ અને ઝડપી પાર્કિંગનો લોકોને એક ખાસ વિકલ્પ મળશે. કારણ કે મુસાફરોને અહીં રોકડ નહીં પણ ફાસ્ટેગથી પેમેન્ટ કરવામાં આવશે. હા, પણ તે પહેલા ફાસ્ટેગમાં પુરતું બેલેન્સ છે કે કેમ તે અવશ્ય ચકાસી લેજો.

ફાસ્ટેગ લેનમાં પ્રવેશેલા વાહને બહાર નીકળવા માટે પણ તે જ લેનનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનો પાર્કિંગ ચાર્જ ચુકવ્યા પછી વધારાનો કોઈ ખર્ચ ચુકવવાનો થતો નથી. જો ફાસ્ટેગ કાર પાર્કિંગની સુવિધાનો ઉપયોગ કરવા માગતા હોવ, તો કારમાં ફાસ્ટેગ લગાવેલું અને તેમાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે. બસ આનાથી છૂટ્ટાની માથાકૂટ રહેશે નહીં, કારની લાંબી લાઈનોમાં અટકવું પડશે નહીં અને અવરજવરને ઝડપી બનાવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...