Wednesday, March 11, 2026

અમદાવાદમાં ગરમીને લઈને વાહનચાલકોને મોટી રાહત, 70 ટ્રાફિક સિગ્નલ પર બપોર 12થી 4 ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બપોરના સમયે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને સિગ્નલ પર ઊભા રહી શેકાવું ન પડે તે માટે AMC એ હીટ એક્શન પ્લાન હેઠળ મહત્વનો નિર્ણય લીધો છે. નવા પ્લાન મુજબ, શહેરના મુખ્ય 70 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિક જંકશન પર વાહનચાલકોને સીધા તડકામાં લાંબો સમય ઊભા રહેવાથી બચાવવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા હીટ એક્શન પ્લાન હેઠળ માત્ર સિગ્નલ બંધ કરવા એટલું જ નહીં, પણ જ્યાં સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે અથવા મોટા જંકશનો છે, ત્યાં વાહનચાલકોને છાંયડો મળી રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. CREDAI અને અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી ટ્રાફિક સિગ્નલો પર ‘ગ્રીન નેટ’ (લીલી જાળી) લગાવવામાં આવશે. આ નેટ એવી રીતે લગાવવામાં આવશે કે જેથી પોલીસના CCTV કેમેરાની દેખરેખમાં કોઈ અવરોધ ન આવે અને વાહનચાલકોને આકરી ગરમીથી સુરક્ષા મળે.

અમદાવાદમાં દર વર્ષે હીટવેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોય છે. હીટ એક્શન પ્લાન હેઠળ એએમસી દ્વારા પાણીની પરબો, ગ્રીન કવર અને હોસ્પિટલોમાં વિશેષ હીટ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલ બંધ રહેવાથી બપોરના સમયે ટ્રાફિકનું ભારણ હળવું થશે અને વાહનચાલકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.AMC તંત્રના આ નિર્ણયને શહેરીજનો આવકારી રહ્યા છે, કારણ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...