Friday, March 13, 2026

આજે IPLની ફાઇનલ મેચ દરમ્યાન વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું શું કહેવું છે, જાણો ?

spot_img
Share

અમદાવાદ : રવિવારે વરસાદના કારણે IPL 2023 Final મેચ ધોવાઈ ગયા બાદ તેને રિઝર્વ ડે સુધી પોસ્ટપોન્ડ કરવામાં કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT Vs CSK વચ્ચે મેચ રમાવાની છે. જોકે, આજે પણ વરસાદના એંધાણ વચ્ચે મેચ યોજાઈ રહી છે. જો આજે પણ વરસાદ પડે તો મેચનું શું પરિણામ આવશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે સોમવાર, 29 મેના રોજ એટલે કે IPL ની ફાઈનલમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ફાઈનલ રિઝર્વ ડે પર પણ ધોવાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદમાં આજે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજના દિવસે પણ મેચ વરસાદના કારણે રમાવાનું શક્ય ના બને તો પરિણામ કઈ રીતે જાહેર કરાશે તેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલે એકવાર ફરી આગાહી કરી છે કે, આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. એટલે કે IPL ની ફાઈનલમાં એકવાર ફરી વરસાદી વિઘ્ન રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે, 4 જૂન સુધી પ્રિ-મોનસૂન એક્ટિવિટી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 7થી 10 જૂન સુધી વાવાઝોડાની શક્યતા છે. આ સિવાય તેમણે ભારે પવનના કારણે નુકસાન થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી.

જો સોમવારે એટલે આજે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાનારી ટાઈટલ મેચમાં વરસાદ બંધ નહીં થાય તો અમ્પાયરો પહેલા રાત્રે સાડા નવ વાગ્યા સુધી રાહ જોશે. ત્યારબાદ ઓવર ઓછી થશે. બીજી તરફ 12 વાગ્યા પછી મેદાન સુકાઈ જાય અને રમવાની સંભાવના હોય તો સુપર ઓવર દ્વારા IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય થશે. વરસાદના કારણે રમત ન રમાઈ શકે તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે, કારણ કે આ ટીમ લીગ સ્ટેજમાં 20 પોઈન્ટ સાથે ચેમ્પિયન બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...