Tuesday, January 20, 2026

આજે IPLની ફાઇનલ મેચ દરમ્યાન વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું શું કહેવું છે, જાણો ?

spot_img
Share

અમદાવાદ : રવિવારે વરસાદના કારણે IPL 2023 Final મેચ ધોવાઈ ગયા બાદ તેને રિઝર્વ ડે સુધી પોસ્ટપોન્ડ કરવામાં કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT Vs CSK વચ્ચે મેચ રમાવાની છે. જોકે, આજે પણ વરસાદના એંધાણ વચ્ચે મેચ યોજાઈ રહી છે. જો આજે પણ વરસાદ પડે તો મેચનું શું પરિણામ આવશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે સોમવાર, 29 મેના રોજ એટલે કે IPL ની ફાઈનલમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ફાઈનલ રિઝર્વ ડે પર પણ ધોવાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદમાં આજે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજના દિવસે પણ મેચ વરસાદના કારણે રમાવાનું શક્ય ના બને તો પરિણામ કઈ રીતે જાહેર કરાશે તેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલે એકવાર ફરી આગાહી કરી છે કે, આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. એટલે કે IPL ની ફાઈનલમાં એકવાર ફરી વરસાદી વિઘ્ન રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે, 4 જૂન સુધી પ્રિ-મોનસૂન એક્ટિવિટી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 7થી 10 જૂન સુધી વાવાઝોડાની શક્યતા છે. આ સિવાય તેમણે ભારે પવનના કારણે નુકસાન થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી.

જો સોમવારે એટલે આજે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાનારી ટાઈટલ મેચમાં વરસાદ બંધ નહીં થાય તો અમ્પાયરો પહેલા રાત્રે સાડા નવ વાગ્યા સુધી રાહ જોશે. ત્યારબાદ ઓવર ઓછી થશે. બીજી તરફ 12 વાગ્યા પછી મેદાન સુકાઈ જાય અને રમવાની સંભાવના હોય તો સુપર ઓવર દ્વારા IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય થશે. વરસાદના કારણે રમત ન રમાઈ શકે તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે, કારણ કે આ ટીમ લીગ સ્ટેજમાં 20 પોઈન્ટ સાથે ચેમ્પિયન બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...