Wednesday, March 4, 2026

સાવધાન અમદાવાદીઓ : પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, AMCએ લીધા વધુ આકરા નિર્ણય

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે AMC દ્વારા વધુ એક આકરા નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સેક્ટર મુજબ એકમોની ઓળખ કરી રેડ નોટિસ પાઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નગરજનોના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી ટેક્સ ભરી શકાશે. આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો ટેક્સ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે.

પ્રથમ તબક્કામાં ટેલિકોમ સેકટરની ઓળખ કરી કરોડોના બાકી ટેક્ષની વસુલાત હાથ ધરાઈ છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહી આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જરૂર પડ્યે સીલિંગ અને તેમની મિલ્કત હરાજીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.

હાલ ટેલિકોમ સેક્ટર બાદ આગામી સમયમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર, કન્સ્ટ્રક્શન અને રિટેલ સેકટરના એકમોને પણ રેડ નોટિસ આપવામાં આવશે. કોઈપણ નાગરિક વર્તમાન નાણાંકીય વર્ષ ઉપરાંત આગામી વર્ષોનો કોઈપણ રકમનો એડવાન્સ ટેક્સ રૂ 2000ની નોટ મારફતે ભરશે, તો 30 સપ્ટેમ્બરની મુદત સુધી 2000ની નોટ સ્વીકારવામાં આવશે.

તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...