Wednesday, January 21, 2026

સાવધાન અમદાવાદીઓ : પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, AMCએ લીધા વધુ આકરા નિર્ણય

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત માટે AMC દ્વારા વધુ એક આકરા નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સેક્ટર મુજબ એકમોની ઓળખ કરી રેડ નોટિસ પાઠવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં નગરજનોના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે. 30-9-2023 સુધી 2000ની નોટથી ટેક્સ ભરી શકાશે. આ નિર્ણયથી 2000 રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો ટેક્સ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે.

પ્રથમ તબક્કામાં ટેલિકોમ સેકટરની ઓળખ કરી કરોડોના બાકી ટેક્ષની વસુલાત હાથ ધરાઈ છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત 6 કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, આ 6 કંપનીઓનો રૂ. 2.21 કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહી આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે, જરૂર પડ્યે સીલિંગ અને તેમની મિલ્કત હરાજીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.

હાલ ટેલિકોમ સેક્ટર બાદ આગામી સમયમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર, કન્સ્ટ્રક્શન અને રિટેલ સેકટરના એકમોને પણ રેડ નોટિસ આપવામાં આવશે. કોઈપણ નાગરિક વર્તમાન નાણાંકીય વર્ષ ઉપરાંત આગામી વર્ષોનો કોઈપણ રકમનો એડવાન્સ ટેક્સ રૂ 2000ની નોટ મારફતે ભરશે, તો 30 સપ્ટેમ્બરની મુદત સુધી 2000ની નોટ સ્વીકારવામાં આવશે.

તમને જાણીને નવાઈ લાગશે કે હવે અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે ઘરબેઠા ફોન પરથી જ આ પ્રોપર્ટી ટેક્સ ભરી શકો છો. અમદાવાદ મ્યુનિ. દ્વારા નવી ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. જેમાં હવે લોકો ઘરે બેઠા જ વોટ્સએપ પર પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...