Wednesday, November 12, 2025

અમદાવાદની SVP હોસ્પિટલના હાઈટેન્શન રૂમમાં ધડાકો : ત્રણ કર્મચારીઓ દાઝી જતાં સારવાર હેઠળ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાં ડીપીમાં બ્લાસ્ટ થયાની વિગતો સામે આવી છે. હાઈટેન્શન એક્ટીવ રૂમમાં બ્લાસ્ટ થતા બેથી ત્રણ વ્યક્તિને કરંટ પણ લાગ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેના કારણે હોસ્પિટલના ઘણા ભાગોમાં વીજળી જતી રહેવાને કારણે દર્દીઓ પરેશાનીનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ SVP હોસ્પિટલમાં આવેલા ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં આજે મંગળવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાને પગલે ત્યાં હાજર ત્રણેક વ્યક્તિ એક્ટિવ રૂમનો દરવાજો ખોલી તપાસવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીંથી સપ્લાય થતી વીજળીનો પાવર સામાન્ય નહીં પરંતુ અત્યંત હાઈ હોય છે. જેના કારણે આ ત્રણેયને વીજળીનો કરંટ લાગતા તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે.

અચાનક ડીપીમાં બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં વીજ સપ્લાયને લગતી સમસ્યાઓ ઊભી થઈ હતી. જેના પગલે ત્યાં કામ કરતા તબીબી સ્ટાફ, નર્સીંગ સ્ટાફ ઉપરાંત દર્દીઓને પણ હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...