Friday, March 13, 2026

અમદાવાદમાં કારચાલકો બેફામ : Hit and Runની ઘટનાઓ વધી, રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કારચાલકો રીતસરના બેફામ બન્યા છે જેના કારણે શહેરમાં Hit and Run બન્યા છે. દરરોજે કોઈને કોઈ કારચાલક કોઈ ટુવ્હીલરવાળાને કે રસ્તા ચાલતા જનારને ઉડાવી દે છે. અમદાવાદમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના ફરીથી સામે આવી છે. એસપી રિંગ રોડ પર દીકરી સાથે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને કારે ઉલાળ્યાં હતાં. એમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને લઈ કારચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં એક કાર મેટ્રો સ્ટેશન પાસે પૂરઝડપે મેટ્રોના પિલર સાથે અથડાઇ પલટી ખાઈ ગઈ હતી. એમાં 3 શખસ હતા, જેમનો બચાવ થયો હતો. આ બંને બનાવમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે Hit and Run હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. તેમા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકી ગંભીર ઇજા પામી છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મહિલા અને તેની પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી અને બાળકીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. 108 તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં બીજી એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન નીચે ફુલ સ્પીડે આવી રહેલી કાર મેટ્રો સ્ટેશનના પિલર સાથે ધડાકાભેર અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં કારચાલક સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારની કેટલી સ્પીડ હતી, અંદર બેઠેલા લોકો દારૂ પીધેલા હતા કે નહીં એ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મોડી રાતે બનેલી બે ઘટનાના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અગાઉ પણ આ જ રીતે અમદાવાદમાં બેફામ રીતે ગાડી ચલાવનારા કારચાલકે યુવકને અડફેટે લીધો હતો. નરોડામાં બનેલી આ ઘટનામાં યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે તેને આઇ-20 કાર ચાલકે હડફેટે લીધો હતો. Hit and Run આ યુવાનનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.જ્યારે કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.

અગાઉ શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલા અને છોકરાને અડફેટે લીધા હતા. પરિણામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલ અને કેક મળી આવી હતી.

આ અગાઉ અમદાવાદના શાહપુર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.

આમ અમદાવાદમાં ફરીથી Hit and Run ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આમ બેફામ રીતે કાર ચલાવતા કારચાલકોને દંડવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અકસ્માતો થતાં જ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...