Tuesday, January 20, 2026

અમદાવાદમાં કારચાલકો બેફામ : Hit and Runની ઘટનાઓ વધી, રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કારચાલકો રીતસરના બેફામ બન્યા છે જેના કારણે શહેરમાં Hit and Run બન્યા છે. દરરોજે કોઈને કોઈ કારચાલક કોઈ ટુવ્હીલરવાળાને કે રસ્તા ચાલતા જનારને ઉડાવી દે છે. અમદાવાદમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના ફરીથી સામે આવી છે. એસપી રિંગ રોડ પર દીકરી સાથે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને કારે ઉલાળ્યાં હતાં. એમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને લઈ કારચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં એક કાર મેટ્રો સ્ટેશન પાસે પૂરઝડપે મેટ્રોના પિલર સાથે અથડાઇ પલટી ખાઈ ગઈ હતી. એમાં 3 શખસ હતા, જેમનો બચાવ થયો હતો. આ બંને બનાવમાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે Hit and Run હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. તેમા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકી ગંભીર ઇજા પામી છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મહિલા અને તેની પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી અને બાળકીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. 108 તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં બીજી એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન નીચે ફુલ સ્પીડે આવી રહેલી કાર મેટ્રો સ્ટેશનના પિલર સાથે ધડાકાભેર અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં કારચાલક સહિત અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. કારની કેટલી સ્પીડ હતી, અંદર બેઠેલા લોકો દારૂ પીધેલા હતા કે નહીં એ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મોડી રાતે બનેલી બે ઘટનાના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અગાઉ પણ આ જ રીતે અમદાવાદમાં બેફામ રીતે ગાડી ચલાવનારા કારચાલકે યુવકને અડફેટે લીધો હતો. નરોડામાં બનેલી આ ઘટનામાં યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે તેને આઇ-20 કાર ચાલકે હડફેટે લીધો હતો. Hit and Run આ યુવાનનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.જ્યારે કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો.

અગાઉ શહેરના પૂર્વ વિસ્તાર નિકોલમાં પૂરપાટ ઝડપે આવતી કારે એક મહિલા અને છોકરાને અડફેટે લીધા હતા. પરિણામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બન્ને લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી દારૂની બોટલ અને કેક મળી આવી હતી.

આ અગાઉ અમદાવાદના શાહપુર વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.

આમ અમદાવાદમાં ફરીથી Hit and Run ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આમ બેફામ રીતે કાર ચલાવતા કારચાલકોને દંડવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અકસ્માતો થતાં જ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...