Wednesday, March 4, 2026

અમદાવાદના આ શાકમાર્કેટમાં કાપડની થેલીનું મુકાયું ઓટોમેટિક મશીન, ઘરેથી થેલી લાવવાની ઝંઝટમાંથી મુક્તિ

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં GPCB, કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ શાકમાર્કેટમાં ઓટોમેટીક થેલી મશીન મૂકવામાં આવ્યું છે. જેની અંદર પાંચ રૂપિયાનો સિક્કો નાખી બાદમાં એક ચક્કર બે વાર ફેરવતા જ કાપડની થેલી ઓટોમેટિક બહાર આવી જાય છે. જે થેલીનો ઉપયોગ કરીને લોકો શાકભાજી તેમાં ભરીને લઈ જઈ શકે છે. આ પ્રયાસથી લોકોએ પોતાની સાથે થેલી લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, થેલી સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, તેમ જ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ પણ આ પ્રયાસથી ઘટશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર પહેલાની જેમ કાપડની થેલીનો ઉપયોગ પણ થવા લાગશે.

અહીં તમને જણાવી દઈએ કે આ મશીનમાં મુકવામાં આવેલ થેલીનો ભાવ લોકોને પરવડે તેમ પણ છે. કેમ કે ભાવની સામે થેલી સારી છે અને વજનમાં પણ હલકી છે. કાપડનો પણ સારો ઉપયોગ કરાયો છે તેમજ થેલી મજબુત પણ રખાઈ છે. જેથી તે વજન પણ ખાસ ઊંચકી શકે છે. આ થેલી બજારમાં ખાસ આકર્ષણનુ કેન્દ્ર પણ બની છે. સાથે જ ઉપયોગી પણ બની છે. કેમ કે ખુબ ઓછા દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે.હાલ પ્રયાસ પાલડી શાકમાર્કેટમાં મશીન મૂકીને શરૂ કરાયો છે. જેમાં સફળતા મળતા અન્ય સ્થળે પણ આ પ્રકારના મશીન મુકાશે. જેનાથી લોકો ની થેલી ની સમસ્યા દૂર થશે સાથે જ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટતા પ્રદુષણ માં સીધો ફાયદો થશે.

અહીં મહત્વનું છે કે પ્રદૂષણ અટકાવવા તેમજ પશુઓ પ્લાસ્ટિક ન ખાય અને ગંદકી ન થાય તેના માટે સરકાર દ્વારા કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે હજુ પણ આ પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ બજારમાં ક્યાંક મળી રહી છે. ત્યારે આવી થેલીઓથી લોકો દૂર રહે, પ્રતિબંધિત થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકોને બજારમાં થેલી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી તેમજ કેટલીક સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં લોકોને પ્લાસ્ટિક નહીં પરંતુ કાપડની થેલી મળી રહે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરાયો. જેના માટે ઓટોમેટિક મશીન પણ મુકવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...