Sunday, January 25, 2026

અમદાવાદના આ શાકમાર્કેટમાં કાપડની થેલીનું મુકાયું ઓટોમેટિક મશીન, ઘરેથી થેલી લાવવાની ઝંઝટમાંથી મુક્તિ

spot_img
Share

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં GPCB, કોર્પોરેશન અને અન્ય ખાનગી સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ શાકમાર્કેટમાં ઓટોમેટીક થેલી મશીન મૂકવામાં આવ્યું છે. જેની અંદર પાંચ રૂપિયાનો સિક્કો નાખી બાદમાં એક ચક્કર બે વાર ફેરવતા જ કાપડની થેલી ઓટોમેટિક બહાર આવી જાય છે. જે થેલીનો ઉપયોગ કરીને લોકો શાકભાજી તેમાં ભરીને લઈ જઈ શકે છે. આ પ્રયાસથી લોકોએ પોતાની સાથે થેલી લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, થેલી સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, તેમ જ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ પણ આ પ્રયાસથી ઘટશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને ફરી એકવાર પહેલાની જેમ કાપડની થેલીનો ઉપયોગ પણ થવા લાગશે.

અહીં તમને જણાવી દઈએ કે આ મશીનમાં મુકવામાં આવેલ થેલીનો ભાવ લોકોને પરવડે તેમ પણ છે. કેમ કે ભાવની સામે થેલી સારી છે અને વજનમાં પણ હલકી છે. કાપડનો પણ સારો ઉપયોગ કરાયો છે તેમજ થેલી મજબુત પણ રખાઈ છે. જેથી તે વજન પણ ખાસ ઊંચકી શકે છે. આ થેલી બજારમાં ખાસ આકર્ષણનુ કેન્દ્ર પણ બની છે. સાથે જ ઉપયોગી પણ બની છે. કેમ કે ખુબ ઓછા દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે.હાલ પ્રયાસ પાલડી શાકમાર્કેટમાં મશીન મૂકીને શરૂ કરાયો છે. જેમાં સફળતા મળતા અન્ય સ્થળે પણ આ પ્રકારના મશીન મુકાશે. જેનાથી લોકો ની થેલી ની સમસ્યા દૂર થશે સાથે જ પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટશે. અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટતા પ્રદુષણ માં સીધો ફાયદો થશે.

અહીં મહત્વનું છે કે પ્રદૂષણ અટકાવવા તેમજ પશુઓ પ્લાસ્ટિક ન ખાય અને ગંદકી ન થાય તેના માટે સરકાર દ્વારા કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે હજુ પણ આ પ્રકારની પ્લાસ્ટિક થેલીઓ બજારમાં ક્યાંક મળી રહી છે. ત્યારે આવી થેલીઓથી લોકો દૂર રહે, પ્રતિબંધિત થેલીઓનો ઉપયોગ ઘટે અને લોકોને બજારમાં થેલી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી તેમજ કેટલીક સંસ્થા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. જેમાં લોકોને પ્લાસ્ટિક નહીં પરંતુ કાપડની થેલી મળી રહે તે પ્રકારનો પ્રયાસ હાથ ધરાયો. જેના માટે ઓટોમેટિક મશીન પણ મુકવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...