Friday, April 24, 2026

નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા ‘મીની રથયાત્રા’ યોજાઈ, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે આજે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 16મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં આવી હતી.મીની રથયાત્રા નીકળી એ સમયે ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જો કે કોરોનાકાળ દરમ્યાન સતત બે વર્ષ સુધી આ રથયાત્રા મુલત્વી રખાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં વહેલી સવારે આઠ કલાકે શાળાના હોલમાં શિક્ષકો, બાળકો અને તેમના માતા-પિતા દ્વારા આરતી કર્યા પછી 16મી મીની રથયાત્રા જોર-શોરથી નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ મીની રથયાત્રામાં સુંદર શણગારેલ રથમાં બિરાજેલ જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની ભાવ જગાવતી પ્રતિમાઓ અને આકર્ષક શણગાર જોવા માટે સમગ્ર વિસ્તારના રહીશો, રથયાત્રા રૂટ પરના વાહન ચાલકો તથા અબાલ વૃદ્ધ સર્વેએ દર્શનનો લાભ લીધો હતો. આ મીની રથયાત્રા શ્રીનગર સોસાયટી નવાવાડજ ખાતેથી નીકળેલી જગન્નાથ ભગવાનની રથયાત્રા નવા વાડજ વિસ્તારની પરિક્રમાએ નીકળી હતી.

બાળકોમાં અનેરો ઉત્સાહ – આનંદ જોઈ અને તેમના ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ જેવા ઉદઘોષથી વિસ્તારમાં જ્યાં જ્યાં રથયાત્રા નીકળી સોસાયટીના અને ફ્લેટના રહીશો રથયાત્રાના સ્વાગત માટે રસ્તા પર આવી ગયા.વાહનચાલકો, રહીશો અને જે પણ રસ્તામાં મળ્યા દરેક ભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા અને ફણગાવેલા મગ, જાંબુ અને ચોકલેટની પ્રસાદી લઈ ભાવવિભોર થયા.બાળકોની રથયાત્રાના માર્ગમાં ક્યાંક ઠંડા પાણીની વ્યવસ્થા તો ક્યાંક રહીશો દ્વારા બિસ્કીટ ના પેકેટો અને ગરમી અને બફારાથી બચવા બાળકોને ઠંડુ મજાનું શરબત મળે તે માટે ઠેર ઠેર કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા.

શાળાના સંચાલક અક્ષરભઈ જોશીનું કહેવું છે કે હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રાથમિક કક્ષાએ જ બાળકને આપણા ધાર્મિક તહેવારોની સમજણ કેળવાય તો તે બાળકો જ્યારે નાગરિક બને તો એક સુસંસ્કૃત સમાજની રચના થાય અને હિન્દુ ધર્મ અખંડ અને અમર સ્વરૂપે વિશ્વને પોતાના ઉચ્ચ વિચારોથી પ્રભાવિત કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...