Tuesday, January 13, 2026

નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા ‘મીની રથયાત્રા’ યોજાઈ, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે આજે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 16મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં આવી હતી.મીની રથયાત્રા નીકળી એ સમયે ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જો કે કોરોનાકાળ દરમ્યાન સતત બે વર્ષ સુધી આ રથયાત્રા મુલત્વી રખાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં વહેલી સવારે આઠ કલાકે શાળાના હોલમાં શિક્ષકો, બાળકો અને તેમના માતા-પિતા દ્વારા આરતી કર્યા પછી 16મી મીની રથયાત્રા જોર-શોરથી નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ મીની રથયાત્રામાં સુંદર શણગારેલ રથમાં બિરાજેલ જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની ભાવ જગાવતી પ્રતિમાઓ અને આકર્ષક શણગાર જોવા માટે સમગ્ર વિસ્તારના રહીશો, રથયાત્રા રૂટ પરના વાહન ચાલકો તથા અબાલ વૃદ્ધ સર્વેએ દર્શનનો લાભ લીધો હતો. આ મીની રથયાત્રા શ્રીનગર સોસાયટી નવાવાડજ ખાતેથી નીકળેલી જગન્નાથ ભગવાનની રથયાત્રા નવા વાડજ વિસ્તારની પરિક્રમાએ નીકળી હતી.

બાળકોમાં અનેરો ઉત્સાહ – આનંદ જોઈ અને તેમના ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ જેવા ઉદઘોષથી વિસ્તારમાં જ્યાં જ્યાં રથયાત્રા નીકળી સોસાયટીના અને ફ્લેટના રહીશો રથયાત્રાના સ્વાગત માટે રસ્તા પર આવી ગયા.વાહનચાલકો, રહીશો અને જે પણ રસ્તામાં મળ્યા દરેક ભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા અને ફણગાવેલા મગ, જાંબુ અને ચોકલેટની પ્રસાદી લઈ ભાવવિભોર થયા.બાળકોની રથયાત્રાના માર્ગમાં ક્યાંક ઠંડા પાણીની વ્યવસ્થા તો ક્યાંક રહીશો દ્વારા બિસ્કીટ ના પેકેટો અને ગરમી અને બફારાથી બચવા બાળકોને ઠંડુ મજાનું શરબત મળે તે માટે ઠેર ઠેર કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા.

શાળાના સંચાલક અક્ષરભઈ જોશીનું કહેવું છે કે હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રાથમિક કક્ષાએ જ બાળકને આપણા ધાર્મિક તહેવારોની સમજણ કેળવાય તો તે બાળકો જ્યારે નાગરિક બને તો એક સુસંસ્કૃત સમાજની રચના થાય અને હિન્દુ ધર્મ અખંડ અને અમર સ્વરૂપે વિશ્વને પોતાના ઉચ્ચ વિચારોથી પ્રભાવિત કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...