Wednesday, March 4, 2026

નવા વાડજમાં અક્ષર પ્રાથમિક શાળા દ્વારા ‘મીની રથયાત્રા’ યોજાઈ, ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાના એક દિવસ અગાઉ એટલે આજે સવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળા દ્વારા 16મી રથયાત્રા જોર-શોરથી નીકાળવામાં આવી હતી.મીની રથયાત્રા નીકળી એ સમયે ‘જય રણછોડ-માખણ ચોર’ના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જો કે કોરોનાકાળ દરમ્યાન સતત બે વર્ષ સુધી આ રથયાત્રા મુલત્વી રખાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં વહેલી સવારે આઠ કલાકે શાળાના હોલમાં શિક્ષકો, બાળકો અને તેમના માતા-પિતા દ્વારા આરતી કર્યા પછી 16મી મીની રથયાત્રા જોર-શોરથી નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ મીની રથયાત્રામાં સુંદર શણગારેલ રથમાં બિરાજેલ જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની ભાવ જગાવતી પ્રતિમાઓ અને આકર્ષક શણગાર જોવા માટે સમગ્ર વિસ્તારના રહીશો, રથયાત્રા રૂટ પરના વાહન ચાલકો તથા અબાલ વૃદ્ધ સર્વેએ દર્શનનો લાભ લીધો હતો. આ મીની રથયાત્રા શ્રીનગર સોસાયટી નવાવાડજ ખાતેથી નીકળેલી જગન્નાથ ભગવાનની રથયાત્રા નવા વાડજ વિસ્તારની પરિક્રમાએ નીકળી હતી.

બાળકોમાં અનેરો ઉત્સાહ – આનંદ જોઈ અને તેમના ‘હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ જેવા ઉદઘોષથી વિસ્તારમાં જ્યાં જ્યાં રથયાત્રા નીકળી સોસાયટીના અને ફ્લેટના રહીશો રથયાત્રાના સ્વાગત માટે રસ્તા પર આવી ગયા.વાહનચાલકો, રહીશો અને જે પણ રસ્તામાં મળ્યા દરેક ભાવપૂર્વક ભગવાનના દર્શન કર્યા અને ફણગાવેલા મગ, જાંબુ અને ચોકલેટની પ્રસાદી લઈ ભાવવિભોર થયા.બાળકોની રથયાત્રાના માર્ગમાં ક્યાંક ઠંડા પાણીની વ્યવસ્થા તો ક્યાંક રહીશો દ્વારા બિસ્કીટ ના પેકેટો અને ગરમી અને બફારાથી બચવા બાળકોને ઠંડુ મજાનું શરબત મળે તે માટે ઠેર ઠેર કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા.

શાળાના સંચાલક અક્ષરભઈ જોશીનું કહેવું છે કે હિન્દુ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પ્રાથમિક કક્ષાએ જ બાળકને આપણા ધાર્મિક તહેવારોની સમજણ કેળવાય તો તે બાળકો જ્યારે નાગરિક બને તો એક સુસંસ્કૃત સમાજની રચના થાય અને હિન્દુ ધર્મ અખંડ અને અમર સ્વરૂપે વિશ્વને પોતાના ઉચ્ચ વિચારોથી પ્રભાવિત કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...