Wednesday, March 11, 2026

અમદાવાદના અખબારનગર સહિત આ વિસ્તારોમાં રહેવું જોખમી, 80થી વધુ ડેસિબલ ધ્વનિનું પ્રમાણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારો જેમ કે નારણપુરા, નવરંગપુરા, પકવાન ચાર રસ્તા, અખબારનગરમાં રહો છો તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે, કારણ કે આ એવા વિસ્તારો છે, જ્યાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ નોંધાયું છે. આ તમામ વિસ્તારોમાં 85 ડેસિબલ ધ્વનિનું પ્રમાણ નોંધાયું છે, એટલે કે 80 ડેસિબલથી પ્રમાણ વધુ જાય એટલે માણસ માટે જોખમી બને છે. આ વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને દિલ્હીની સાથે સરખાવવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં એન્વાયર્નમેન્ટ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ એક સર્વે કર્યો છે, જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ પિક અવર્સમાં ચાર રસ્તા પર ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ કેટલું હોય છે એનું ખૂબ જ બારીકાઈપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ અમદાવાદમાં સાત જગ્યાએ નોંધાયું છે. સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ નારણપુરા અને નવરંગપુરામાં 85 ડેસિબલ છે. આ પછી અખબારનગર, નરોડા પાટિયા, ઘોડાસર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કાલુપુર કોરિડોર પર ધ્વનિ પ્રદૂષણ 80 ડેસિબલ છે. જોકે પકવાન ઓવરબ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે 200 મીટર સુધી નોઈસ બેરિયર લગાડવામા આવ્યાં છે. તો પણ સ્થિતિ ચિંતાજનક જેવી જ છે, નોઈસ બેરિયરની કોઈ ખાસ અસર દેખાતી નથી.

સાયલન્ટ ઝોનમાં દિવસે 50 ડેસિબલ, રાત્રે 45 ડેસિબલ.,રહેણાક વિસ્તારમાં દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ, કોમર્શિયલ વિસ્તારમાં દિવસે 65 ડેસિબલ તથા રાત્રે 55 ડેસિબલ, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દિવસે 75 ડેસિબલ તથા રાત્રે 65 ડેસિબલ હોવું જોઈએ. આ સરકારનાં ધારાધોરણો પ્રમાણે લખેલા આંકડાઓ છે.

શહેરમાં નોઈસનું લેવલ 60થી 40 ડેસિબલ (ડેસિબલ જે અવાજ માપવાનો યુનિટ છે) હોવું જોઈએ. સાયલન્ટ ઝોન હોય, જેમ કે સ્કૂલ, મંદિર, દવાખાના, પોલીસ સ્ટેશન જેવી વિવિધ પ્રકારની જગ્યાઓ, જ્યાં 45થી 50 ડેસિબલ અવાજ હોવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...