Monday, August 3, 2026

અમદાવાદના અખબારનગર સહિત આ વિસ્તારોમાં રહેવું જોખમી, 80થી વધુ ડેસિબલ ધ્વનિનું પ્રમાણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારો જેમ કે નારણપુરા, નવરંગપુરા, પકવાન ચાર રસ્તા, અખબારનગરમાં રહો છો તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે, કારણ કે આ એવા વિસ્તારો છે, જ્યાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ નોંધાયું છે. આ તમામ વિસ્તારોમાં 85 ડેસિબલ ધ્વનિનું પ્રમાણ નોંધાયું છે, એટલે કે 80 ડેસિબલથી પ્રમાણ વધુ જાય એટલે માણસ માટે જોખમી બને છે. આ વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને દિલ્હીની સાથે સરખાવવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં એન્વાયર્નમેન્ટ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ એક સર્વે કર્યો છે, જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ પિક અવર્સમાં ચાર રસ્તા પર ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ કેટલું હોય છે એનું ખૂબ જ બારીકાઈપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ અમદાવાદમાં સાત જગ્યાએ નોંધાયું છે. સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ નારણપુરા અને નવરંગપુરામાં 85 ડેસિબલ છે. આ પછી અખબારનગર, નરોડા પાટિયા, ઘોડાસર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કાલુપુર કોરિડોર પર ધ્વનિ પ્રદૂષણ 80 ડેસિબલ છે. જોકે પકવાન ઓવરબ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે 200 મીટર સુધી નોઈસ બેરિયર લગાડવામા આવ્યાં છે. તો પણ સ્થિતિ ચિંતાજનક જેવી જ છે, નોઈસ બેરિયરની કોઈ ખાસ અસર દેખાતી નથી.

સાયલન્ટ ઝોનમાં દિવસે 50 ડેસિબલ, રાત્રે 45 ડેસિબલ.,રહેણાક વિસ્તારમાં દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ, કોમર્શિયલ વિસ્તારમાં દિવસે 65 ડેસિબલ તથા રાત્રે 55 ડેસિબલ, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દિવસે 75 ડેસિબલ તથા રાત્રે 65 ડેસિબલ હોવું જોઈએ. આ સરકારનાં ધારાધોરણો પ્રમાણે લખેલા આંકડાઓ છે.

શહેરમાં નોઈસનું લેવલ 60થી 40 ડેસિબલ (ડેસિબલ જે અવાજ માપવાનો યુનિટ છે) હોવું જોઈએ. સાયલન્ટ ઝોન હોય, જેમ કે સ્કૂલ, મંદિર, દવાખાના, પોલીસ સ્ટેશન જેવી વિવિધ પ્રકારની જગ્યાઓ, જ્યાં 45થી 50 ડેસિબલ અવાજ હોવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...