Tuesday, January 20, 2026

અમદાવાદના અખબારનગર સહિત આ વિસ્તારોમાં રહેવું જોખમી, 80થી વધુ ડેસિબલ ધ્વનિનું પ્રમાણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારો જેમ કે નારણપુરા, નવરંગપુરા, પકવાન ચાર રસ્તા, અખબારનગરમાં રહો છો તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે, કારણ કે આ એવા વિસ્તારો છે, જ્યાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ નોંધાયું છે. આ તમામ વિસ્તારોમાં 85 ડેસિબલ ધ્વનિનું પ્રમાણ નોંધાયું છે, એટલે કે 80 ડેસિબલથી પ્રમાણ વધુ જાય એટલે માણસ માટે જોખમી બને છે. આ વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણને દિલ્હીની સાથે સરખાવવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ તાજેતરમાં અમદાવાદ શહેરમાં ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં એન્વાયર્નમેન્ટ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ એક સર્વે કર્યો છે, જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ પિક અવર્સમાં ચાર રસ્તા પર ધ્વનિ પ્રદૂષણનું પ્રમાણ કેટલું હોય છે એનું ખૂબ જ બારીકાઈપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ અમદાવાદમાં સાત જગ્યાએ નોંધાયું છે. સૌથી વધારે ધ્વનિ પ્રદૂષણ નારણપુરા અને નવરંગપુરામાં 85 ડેસિબલ છે. આ પછી અખબારનગર, નરોડા પાટિયા, ઘોડાસર ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, કાલુપુર કોરિડોર પર ધ્વનિ પ્રદૂષણ 80 ડેસિબલ છે. જોકે પકવાન ઓવરબ્રિજ પર ધ્વનિ પ્રદૂષણને ઘટાડવા માટે 200 મીટર સુધી નોઈસ બેરિયર લગાડવામા આવ્યાં છે. તો પણ સ્થિતિ ચિંતાજનક જેવી જ છે, નોઈસ બેરિયરની કોઈ ખાસ અસર દેખાતી નથી.

સાયલન્ટ ઝોનમાં દિવસે 50 ડેસિબલ, રાત્રે 45 ડેસિબલ.,રહેણાક વિસ્તારમાં દિવસે 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલ, કોમર્શિયલ વિસ્તારમાં દિવસે 65 ડેસિબલ તથા રાત્રે 55 ડેસિબલ, ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દિવસે 75 ડેસિબલ તથા રાત્રે 65 ડેસિબલ હોવું જોઈએ. આ સરકારનાં ધારાધોરણો પ્રમાણે લખેલા આંકડાઓ છે.

શહેરમાં નોઈસનું લેવલ 60થી 40 ડેસિબલ (ડેસિબલ જે અવાજ માપવાનો યુનિટ છે) હોવું જોઈએ. સાયલન્ટ ઝોન હોય, જેમ કે સ્કૂલ, મંદિર, દવાખાના, પોલીસ સ્ટેશન જેવી વિવિધ પ્રકારની જગ્યાઓ, જ્યાં 45થી 50 ડેસિબલ અવાજ હોવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...