Sunday, February 8, 2026

અમદાવાદ ‘બેટ’માં ફેરવાયું, એક કલાકમાં જ AMC તંત્રની ડંફાસ વરસાદમાં ધોવાઈ ગઇ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શુક્રવારે સાંજના સમયે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. એક થી બે કલાકના ધોધમાર વરસાદને પગલે ભારે તારાજી સર્જી દીધી હતી. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો શહેરના મોટાભાગના વિસ્તારો જોધપુર, સેટેલાઈટ, નહેરુનગર, સહિતના વિસ્તારો થયા પાણી પાણી રોડ ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યાં ત્યાં પાણી જ પાણી દેખાય રહ્યા હતા. તંત્રના આ દાવા કેટલા પોકળ છે તેની પોલ ખોલતા દૃશ્યો અહીં જોઈ શકાય છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 132 ફૂટ રિંગ રોડ પર બંને બાજુએ રોડ પર પાણી ભરાઈ જતા ડિવાઈડર પર પાણી ફરી વળ્યાં હતા. 132 ફૂટ રિંગ રોડ પર આવેલ અનેક ભોયરાની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.આ ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરી દેવાયા હતા.અમદાવાદનાં ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા.ટૂંકમાં એક લાઈનમાં જણાવીએ તો અમદાવાદની સોસાયટીઓ, રસ્તાઓ,અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ હતા.

સાંજના સમયે અનેક નાગરિકો પાણી ભરાવાને કારણે રસ્તામાં જ અટવાયા હતા. આ દરેકના ચહેરા પર વામણા તંત્રના અણઘડ પ્રિમોન્સુન કામગીરી સામે સ્પષ્ટ રોષ જોઈ શકાતો હતો. ઓફિસથી ઘરે જવા નીકળેલા અનેક લોકો રસ્તા વચ્ચે ક્યાંક ટ્રાફિકમાં ફસાયા તો ક્યાંક પાણીને કારણે વાહન બંધ પડી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

AMC તંત્રની ડંફાસ વરસાદમાં ધોવાઈ ગઇ હતી. ચીનનું ગ્વાંગડોંગ જેવું બનવા માગતું અમદાવાદ પાણીમાં હાલ જાણે બેટમાં ફેરવાઇ ગયું હતું.જો કે વરસાદ બંધ થતા અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...