Saturday, January 17, 2026

અમદાવાદ ‘બેટ’માં ફેરવાયું, એક કલાકમાં જ AMC તંત્રની ડંફાસ વરસાદમાં ધોવાઈ ગઇ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શુક્રવારે સાંજના સમયે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. એક થી બે કલાકના ધોધમાર વરસાદને પગલે ભારે તારાજી સર્જી દીધી હતી. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો શહેરના મોટાભાગના વિસ્તારો જોધપુર, સેટેલાઈટ, નહેરુનગર, સહિતના વિસ્તારો થયા પાણી પાણી રોડ ઉપર ડિવાઈડર સુધી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યાં ત્યાં પાણી જ પાણી દેખાય રહ્યા હતા. તંત્રના આ દાવા કેટલા પોકળ છે તેની પોલ ખોલતા દૃશ્યો અહીં જોઈ શકાય છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે 132 ફૂટ રિંગ રોડ પર બંને બાજુએ રોડ પર પાણી ભરાઈ જતા ડિવાઈડર પર પાણી ફરી વળ્યાં હતા. 132 ફૂટ રિંગ રોડ પર આવેલ અનેક ભોયરાની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.આ ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ ઉપરાંત અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરી દેવાયા હતા.અમદાવાદનાં ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા.ટૂંકમાં એક લાઈનમાં જણાવીએ તો અમદાવાદની સોસાયટીઓ, રસ્તાઓ,અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ હતા.

સાંજના સમયે અનેક નાગરિકો પાણી ભરાવાને કારણે રસ્તામાં જ અટવાયા હતા. આ દરેકના ચહેરા પર વામણા તંત્રના અણઘડ પ્રિમોન્સુન કામગીરી સામે સ્પષ્ટ રોષ જોઈ શકાતો હતો. ઓફિસથી ઘરે જવા નીકળેલા અનેક લોકો રસ્તા વચ્ચે ક્યાંક ટ્રાફિકમાં ફસાયા તો ક્યાંક પાણીને કારણે વાહન બંધ પડી જવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા.સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

AMC તંત્રની ડંફાસ વરસાદમાં ધોવાઈ ગઇ હતી. ચીનનું ગ્વાંગડોંગ જેવું બનવા માગતું અમદાવાદ પાણીમાં હાલ જાણે બેટમાં ફેરવાઇ ગયું હતું.જો કે વરસાદ બંધ થતા અનેક વિસ્તારોમાં પાણી ઉતર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...