Tuesday, September 16, 2025

AMCનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU આપતાં પૂર્વે ટેક્સ વિભાગનું NOC ફરજિયાત

Share

Share

અમદાવાદ : AMCના એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC ACT ની જોગવાઇ અનુસાર મિલકતોની BU PERMISSION ની તારીખ અથવા મિલકતોનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખ, તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી મિલકતની ટેક્સ આકારણી કરવાની થાય છે.

હાલમાં ઝોનલ એસ્ટેટ વિભાગ મિલકતને BU Permission આપે છે, તેને હવે ઝોનના ટેક્સ ખાતામાં મોકલીને ટેક્સ વિભાગની NOC પણ લેવામાં આવશે. ટેક્સ વિભાગ મિલકતની આકારણી પર કરશે. હાલ કોઇપણ જૂની મિલકતને તોડવા માટે મ્યુનિ. પાસે નો-ડ્યૂ સર્ટિફીકેટ લેવામાં આવે છે. ટેક્સની રકમ બાકી હોય તો નો-ડ્યૂ સર્ટિફિકેટ મળી શકે નહીં.

AMCના આ મહત્વના નિર્ણયના કારણે રજા ચિઠ્ઠી મળ્યા પહેલા જ ટેક્સની રકમ ભરપાઇ થઇ જાય છે. જેને કારણે આ જગ્યા ઓપન લેન્ડ તરીકે તેનો ટેક્સ તે પદ્ધતિએ હોય છે. બાદમાં ત્યાં બાંધકામ થઇ ગયા બાદ જ્યારે ફરીથી BU Permission લેવામાં આ‌વે ત્યારે તેની ટેક્સ વિભાગની NOC લેવામાં આ‌વે તો આકરણી કરીને ટેક્સ શરૂ થઇ શકે. આ પ્રક્રિયાને કારણે AMCની ટેક્સની આવક વધવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...