Saturday, November 8, 2025

AMCનો મહત્વનો નિર્ણય, કોઈપણ મિલકતને BU આપતાં પૂર્વે ટેક્સ વિભાગનું NOC ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : AMCના એસ્ટેટ તથા ટેક્સ ખાતા દ્વારા મિલક્તની BU Permissionને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈપણ મિલકતને BU Permission આપતા પહેલા ટેક્સ ખાતાની NOC ફરજિયાત કરાઈ છે. GPMC ACT ની જોગવાઇ અનુસાર મિલકતોની BU PERMISSION ની તારીખ અથવા મિલકતોનો ખરેખર વપરાશ શરૂ થયા તારીખ, તે બેમાંથી જે વહેલુ હોય તે તારીખથી મિલકતની ટેક્સ આકારણી કરવાની થાય છે.

હાલમાં ઝોનલ એસ્ટેટ વિભાગ મિલકતને BU Permission આપે છે, તેને હવે ઝોનના ટેક્સ ખાતામાં મોકલીને ટેક્સ વિભાગની NOC પણ લેવામાં આવશે. ટેક્સ વિભાગ મિલકતની આકારણી પર કરશે. હાલ કોઇપણ જૂની મિલકતને તોડવા માટે મ્યુનિ. પાસે નો-ડ્યૂ સર્ટિફીકેટ લેવામાં આવે છે. ટેક્સની રકમ બાકી હોય તો નો-ડ્યૂ સર્ટિફિકેટ મળી શકે નહીં.

AMCના આ મહત્વના નિર્ણયના કારણે રજા ચિઠ્ઠી મળ્યા પહેલા જ ટેક્સની રકમ ભરપાઇ થઇ જાય છે. જેને કારણે આ જગ્યા ઓપન લેન્ડ તરીકે તેનો ટેક્સ તે પદ્ધતિએ હોય છે. બાદમાં ત્યાં બાંધકામ થઇ ગયા બાદ જ્યારે ફરીથી BU Permission લેવામાં આ‌વે ત્યારે તેની ટેક્સ વિભાગની NOC લેવામાં આ‌વે તો આકરણી કરીને ટેક્સ શરૂ થઇ શકે. આ પ્રક્રિયાને કારણે AMCની ટેક્સની આવક વધવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...