Friday, March 13, 2026

મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 5 લોકોને રેસ્ક્યૂ કરાયા, એક વ્યક્તિનું મોત

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ત્રણ દિવસથી મેઘો સતત વરસી રહ્યો છે, ત્યારે આ વચ્ચે અમદાવાદના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, તે તમામને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું.સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.દટાયેલા 5 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ફાયરબ્રિગેડે કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશકાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિકના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા, અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે આ મકાન વર્ષો જુનું હતું.

આ અગાઉ અમદાવાદના અંકુર ચાર રસ્તા આવેલી એવરબેલા સોસાયટીના બ્લોકની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર AMCના 6718 ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...