Thursday, January 22, 2026

મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, 5 લોકોને રેસ્ક્યૂ કરાયા, એક વ્યક્તિનું મોત

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ત્રણ દિવસથી મેઘો સતત વરસી રહ્યો છે, ત્યારે આ વચ્ચે અમદાવાદના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, તે તમામને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું.સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.દટાયેલા 5 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ફાયરબ્રિગેડે કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશકાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિકના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા, અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે આ મકાન વર્ષો જુનું હતું.

આ અગાઉ અમદાવાદના અંકુર ચાર રસ્તા આવેલી એવરબેલા સોસાયટીના બ્લોકની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર AMCના 6718 ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...