Wednesday, March 4, 2026

ગુજરાત યુનિવર્સિટીનું ઉત્તરવહીઓ ગુમ થવાનું કૌભાંડ, NSUIના દેખાવો બાદ યુનિ.એ નોંધાવી ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે આવો જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા BSC નર્સિંગ કોર્ષના પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે હડકંપ મચ્યો છે.આ મામલે NSUI અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓની ઉત્તરવહીને બહાર તપાસ માટે મોકલી તેમને પાસ કરાવવાનું કૌભાંડ ચાલે છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજ્ય સરકારની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓ બાદ હવે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પેપર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં BSC નર્સિંગના ચોથા વર્ષના ગણતરીના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ઉત્તરવહી રાત્રે મળી જાય અને સવારમાં એ ઉતરવહી ભરીને પાછી આપી દેવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ NSUI અને કોંગ્રેસે કર્યો છે. જે અંગે ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સીટી સતત વિવાદમાં છે ત્યારે વધુ એક વિવાદ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની Bsc નર્સિંગ ફાઇનલ વર્ષ એટલે કે ચોથા વર્ષની પરીક્ષાનું આ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 14 વિદ્યાર્થીઓની ભાગ એક અને ભાગ બે એમ 28 પેપર ગાયબ થયા છે. નર્સિંગની પરીક્ષાના જે પેપરની પરીક્ષા દિવસે લવાઈ હતી એ ઉત્તરવહી સાંજે ગુજરાત યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટ લાવવામાં આવે છે. રાત્રે એ ઉત્તરવહી ગોઠવણ મુજબ કાઢી પુનઃ લખાણ કરી પરત મુકવામાં આવે એ પૂર્વે જ NSUI ને જાણ થતાં કૌભાંડ સામે આવ્યું હતું.

NSUI કાર્યકરો અને કોંગ્રેસ નેતા ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને મનીષ દોશીએ સમગ્ર મામલે કુલપતિનું ધ્યાન દોર્યું અને આક્ષેપ કર્યા કે રાત્રે યુનિવર્સીટીના કમ્પાઉન્ડમાંથી પેપર ગાયબ થાય છે અને સવારે પાછા આવે છે. CCTV બંધ કરીને અધિકારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. દોષિતને 72 કલાકમાં સજા કરવામાં આવે નહીં તો NSUI ઉગ્ર આંદોલન કરશે. જે કોઈ હોય, વહીવટી તંત્ર સાથેના હોય કે સરકારના ઈશારે કામ થયું હોય તે તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...