Tuesday, January 20, 2026

ગુજરાત યુનિવર્સિટીનું ઉત્તરવહીઓ ગુમ થવાનું કૌભાંડ, NSUIના દેખાવો બાદ યુનિ.એ નોંધાવી ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે આવો જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા BSC નર્સિંગ કોર્ષના પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે હડકંપ મચ્યો છે.આ મામલે NSUI અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો છે અને આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીઓની ઉત્તરવહીને બહાર તપાસ માટે મોકલી તેમને પાસ કરાવવાનું કૌભાંડ ચાલે છે. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજ્ય સરકારની જાહેર પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓ બાદ હવે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પેપર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં BSC નર્સિંગના ચોથા વર્ષના ગણતરીના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાની ઉત્તરવહી રાત્રે મળી જાય અને સવારમાં એ ઉતરવહી ભરીને પાછી આપી દેવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ NSUI અને કોંગ્રેસે કર્યો છે. જે અંગે ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ પણ કરી છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સીટી સતત વિવાદમાં છે ત્યારે વધુ એક વિવાદ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની Bsc નર્સિંગ ફાઇનલ વર્ષ એટલે કે ચોથા વર્ષની પરીક્ષાનું આ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 14 વિદ્યાર્થીઓની ભાગ એક અને ભાગ બે એમ 28 પેપર ગાયબ થયા છે. નર્સિંગની પરીક્ષાના જે પેપરની પરીક્ષા દિવસે લવાઈ હતી એ ઉત્તરવહી સાંજે ગુજરાત યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટ લાવવામાં આવે છે. રાત્રે એ ઉત્તરવહી ગોઠવણ મુજબ કાઢી પુનઃ લખાણ કરી પરત મુકવામાં આવે એ પૂર્વે જ NSUI ને જાણ થતાં કૌભાંડ સામે આવ્યું હતું.

NSUI કાર્યકરો અને કોંગ્રેસ નેતા ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને મનીષ દોશીએ સમગ્ર મામલે કુલપતિનું ધ્યાન દોર્યું અને આક્ષેપ કર્યા કે રાત્રે યુનિવર્સીટીના કમ્પાઉન્ડમાંથી પેપર ગાયબ થાય છે અને સવારે પાછા આવે છે. CCTV બંધ કરીને અધિકારીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે. દોષિતને 72 કલાકમાં સજા કરવામાં આવે નહીં તો NSUI ઉગ્ર આંદોલન કરશે. જે કોઈ હોય, વહીવટી તંત્ર સાથેના હોય કે સરકારના ઈશારે કામ થયું હોય તે તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...