Thursday, September 18, 2025

નવા વાડજના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ચુંટણી યોજાઈ, ચેરમેન અને સેક્રેટરી ચુંટાયા

Share

Share

અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે ચુંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હિતેશ શાહ અને સેક્રેટરી તરીકે તેજશ જાની ચૂંટાઈ આવ્યા હતા, જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણની બિનહરીફ વરણી કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ અખબારનગર સામે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ચુંટણી યોજાઈ હતી.જેમાં સોસાયટીમાં નિયમ મુજબ કુલ 372 મકાનોમાંથી 195 સભાસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં પ્રમુખપદના ઉમેદવાર હિતેશ શાહને 131 વોટ અને સેક્રેટરીના પદના ઉમેદવાર તેજશ જાનીનો 92 વોટથી ભવ્ય વિજય થયો હતો.જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે નિયમ મુજબ ચુંટણી ઓબઝર્વર નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર ચુંટણી પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ચુંટણીમાં બંને પક્ષે સામસામે જબરદસ્ત પ્રચાર પણ કરવામાં આવ્યા હતો.ચુંટણી બાદ વિજેતા ઉમેદવારો દ્વારા સોસાયટીમાં ભવ્ય રેલીનું આયોજન પણ કરાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...