Wednesday, January 21, 2026

નવા વાડજના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં ચુંટણી યોજાઈ, ચેરમેન અને સેક્રેટરી ચુંટાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે ચુંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હિતેશ શાહ અને સેક્રેટરી તરીકે તેજશ જાની ચૂંટાઈ આવ્યા હતા, જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણની બિનહરીફ વરણી કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ અખબારનગર સામે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ચુંટણી યોજાઈ હતી.જેમાં સોસાયટીમાં નિયમ મુજબ કુલ 372 મકાનોમાંથી 195 સભાસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં પ્રમુખપદના ઉમેદવાર હિતેશ શાહને 131 વોટ અને સેક્રેટરીના પદના ઉમેદવાર તેજશ જાનીનો 92 વોટથી ભવ્ય વિજય થયો હતો.જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે નિયમ મુજબ ચુંટણી ઓબઝર્વર નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર ચુંટણી પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ચુંટણીમાં બંને પક્ષે સામસામે જબરદસ્ત પ્રચાર પણ કરવામાં આવ્યા હતો.ચુંટણી બાદ વિજેતા ઉમેદવારો દ્વારા સોસાયટીમાં ભવ્ય રેલીનું આયોજન પણ કરાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...