Friday, March 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં આવેલ છે હનુમાનજીનું 100 વર્ષ જૂનું મંદિર, જયાં હનુમાનજી છે હાજરાહજૂર

spot_img
Share

અમદાવાદ: સમગ્ર દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિર છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. અમદાવાદમાં પણ હનુમાનજીના અનેક ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલા છે, જૈ પેકી નારણપુરામાં આવેલ કાંકરિયા હનુમાન મંદિર ઘણુ પ્રખ્યાત છે. આ 100 વર્ષ જુના મંદિરને બહુ ચમત્કારી માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે, અહીંના હનુમાનજી હાજરાહજૂર છે.

મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે, 100 વર્ષ પહેલાં મંદિરની આજુબાજુ જંગલ હતું. દેરીની પાસે લીમડાના ઝાડની નીચે હનુમાનદાદા બિરાજમાન હતા, એક મહાત્મા દ્વારા હનુમાન દાદાની પૂજા કરવામાં આવી હતી અને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને કાંકરિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, 100 વર્ષ પહેલા પથ્થરો ભેગા કરીને આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે આ મંદિર ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યું છે.

દર શનિવારે અહીં મોટી સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, અહીં હનુમાનજીના દર્શનથી તેમજ હનુમાન ચાલીસાના સ્મરણથી અહીં મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે.આ મંદિર ખાતે હનુમાન દાદા, ગણેશજી અને માતાજી બિરાજમાન છે, તેવું માનવામાં આવે છે. અત્યારે મંદિરની અંદર શિવલિંગ પણ છે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. લોકો ખૂબ શ્રદ્ધાથી આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે.

દર શનિવારે મંદિર ખાતે ભજન મંડળી બોલાવવામાં આવે છે અને આનંદ ઉત્સવની જેમ શનિવાર મનાવવામાં આવે છે. ભક્તોનું કહેવું છે કે, મંદિરની અંદર આવતાની સાથે જ મનને શાંતિ મળે છે. હનુમાનજીની મૂર્તિ ખૂબ જ પ્રભાવશાળી અને તેજ ધરાવે છે. અમદાવાદના ખૂણે ખૂણેથી લોકો કાંકરિયા હનુમાન મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મંદિર ખાતે અબોલ પ્રાણીઓની સેવા કરવામાં આવે છે. આ મંદિર ખાતે ગાયો પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે લોકો ગાયને ઘાસ ખવડાવવા મંદિરમાં આવતા હોય છે. ગાયને ઘાસ ખવડાવીને ભક્તો ગૌ સેવાનો પણ લાભ લે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...