Sunday, August 2, 2026

અમદાવાદના આ વિસ્તારમાં આવેલ છે હનુમાનજીનું 100 વર્ષ જૂનું મંદિર, જયાં હનુમાનજી છે હાજરાહજૂર

spot_img
Share

અમદાવાદ: સમગ્ર દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિર છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. અમદાવાદમાં પણ હનુમાનજીના અનેક ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલા છે, જૈ પેકી નારણપુરામાં આવેલ કાંકરિયા હનુમાન મંદિર ઘણુ પ્રખ્યાત છે. આ 100 વર્ષ જુના મંદિરને બહુ ચમત્કારી માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે, અહીંના હનુમાનજી હાજરાહજૂર છે.

મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે, 100 વર્ષ પહેલાં મંદિરની આજુબાજુ જંગલ હતું. દેરીની પાસે લીમડાના ઝાડની નીચે હનુમાનદાદા બિરાજમાન હતા, એક મહાત્મા દ્વારા હનુમાન દાદાની પૂજા કરવામાં આવી હતી અને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને કાંકરિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, 100 વર્ષ પહેલા પથ્થરો ભેગા કરીને આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે આ મંદિર ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યું છે.

દર શનિવારે અહીં મોટી સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, અહીં હનુમાનજીના દર્શનથી તેમજ હનુમાન ચાલીસાના સ્મરણથી અહીં મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે.આ મંદિર ખાતે હનુમાન દાદા, ગણેશજી અને માતાજી બિરાજમાન છે, તેવું માનવામાં આવે છે. અત્યારે મંદિરની અંદર શિવલિંગ પણ છે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. લોકો ખૂબ શ્રદ્ધાથી આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે.

દર શનિવારે મંદિર ખાતે ભજન મંડળી બોલાવવામાં આવે છે અને આનંદ ઉત્સવની જેમ શનિવાર મનાવવામાં આવે છે. ભક્તોનું કહેવું છે કે, મંદિરની અંદર આવતાની સાથે જ મનને શાંતિ મળે છે. હનુમાનજીની મૂર્તિ ખૂબ જ પ્રભાવશાળી અને તેજ ધરાવે છે. અમદાવાદના ખૂણે ખૂણેથી લોકો કાંકરિયા હનુમાન મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મંદિર ખાતે અબોલ પ્રાણીઓની સેવા કરવામાં આવે છે. આ મંદિર ખાતે ગાયો પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે લોકો ગાયને ઘાસ ખવડાવવા મંદિરમાં આવતા હોય છે. ગાયને ઘાસ ખવડાવીને ભક્તો ગૌ સેવાનો પણ લાભ લે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...