Friday, January 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં આવેલ છે હનુમાનજીનું 100 વર્ષ જૂનું મંદિર, જયાં હનુમાનજી છે હાજરાહજૂર

spot_img
Share

અમદાવાદ: સમગ્ર દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિર છે, જ્યાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે. અમદાવાદમાં પણ હનુમાનજીના અનેક ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલા છે, જૈ પેકી નારણપુરામાં આવેલ કાંકરિયા હનુમાન મંદિર ઘણુ પ્રખ્યાત છે. આ 100 વર્ષ જુના મંદિરને બહુ ચમત્કારી માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે, અહીંના હનુમાનજી હાજરાહજૂર છે.

મંદિરના મુખ્ય પૂજારી જણાવે છે કે, 100 વર્ષ પહેલાં મંદિરની આજુબાજુ જંગલ હતું. દેરીની પાસે લીમડાના ઝાડની નીચે હનુમાનદાદા બિરાજમાન હતા, એક મહાત્મા દ્વારા હનુમાન દાદાની પૂજા કરવામાં આવી હતી અને મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરને કાંકરિયા હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, 100 વર્ષ પહેલા પથ્થરો ભેગા કરીને આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે આ મંદિર ખૂબ જ વિશાળ બનાવવામાં આવ્યું છે.

દર શનિવારે અહીં મોટી સંખ્યામાં લોકો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, અહીં હનુમાનજીના દર્શનથી તેમજ હનુમાન ચાલીસાના સ્મરણથી અહીં મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે.આ મંદિર ખાતે હનુમાન દાદા, ગણેશજી અને માતાજી બિરાજમાન છે, તેવું માનવામાં આવે છે. અત્યારે મંદિરની અંદર શિવલિંગ પણ છે સાથે શનિદેવ પણ બિરાજમાન છે. લોકો ખૂબ શ્રદ્ધાથી આ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે.

દર શનિવારે મંદિર ખાતે ભજન મંડળી બોલાવવામાં આવે છે અને આનંદ ઉત્સવની જેમ શનિવાર મનાવવામાં આવે છે. ભક્તોનું કહેવું છે કે, મંદિરની અંદર આવતાની સાથે જ મનને શાંતિ મળે છે. હનુમાનજીની મૂર્તિ ખૂબ જ પ્રભાવશાળી અને તેજ ધરાવે છે. અમદાવાદના ખૂણે ખૂણેથી લોકો કાંકરિયા હનુમાન મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મંદિર ખાતે અબોલ પ્રાણીઓની સેવા કરવામાં આવે છે. આ મંદિર ખાતે ગાયો પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે લોકો ગાયને ઘાસ ખવડાવવા મંદિરમાં આવતા હોય છે. ગાયને ઘાસ ખવડાવીને ભક્તો ગૌ સેવાનો પણ લાભ લે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...