Monday, November 10, 2025

ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી, હર્ષ સંઘવીએ બચવાનો ઉપાય જણાવ્યો

spot_img
Share

સુરત : સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજણ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નવી ટેકનોલોજીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે. સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સાયબર સંજીવની કાર્યક્રમ સરકારી કાર્યક્રમ નથી પરંતુ સાયબર ફ્રોડ સામેની લડાઇનો કાર્યક્રમ છે તેમણે કહ્યું કે, પોલીસની નેગેટિવ વાતો કરનારાઓને સુરત પોલીસના કાર્યક્રમની વિગતો આપજો. ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની માહિતી આપજો.તમારી દિકરી રિલ્સ બનાવે તેમાં કાંઇ પણ ખોટું નથી. સેફટીનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઘરમાં પરિવારજનોને સમજાવો કે અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે અને ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ગભરાવાની જરા પણ જરૂર નથી. શરમાવાની પણ જરૂર નથી. નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. ભુલ ગમે તે વ્યક્તિથી થઇ શકે.અનેક કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય અને કાર્યવાહી થશે. અનેક લોકો બદનામીના કારણે આગળ નથી આવતા સામાજિક બદનામીનો ડર લાગ્યા કરે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા સાયબર ફ્રોડથી બચવાના ઉપાય
હર્ષભાઈએ કહેલા સ્ટેપ ફોલો કરશો તો સાયબર ફ્રોડથી બચી જશો
“ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની નથી જરૂર”
“રિલ્સ બનાવવી ખોટું નથી પણ સેફ્ટીનું ધ્યાન રાખવું જરૂરી”
“અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારો”
“શરમ ન કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો”
“કેટલાક લોકો બદનામીના ડરે આગળ નથી આવતા”

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...