Thursday, March 5, 2026

અમદાવાદીઓએ જોખમી ‘ટાયર કિલર બમ્પ’નો પ્રયોગને આવકાર્યો પણ જો જાનહાનિ થશે તો જવાબદાર કોણ?

spot_img
Share

અમદાવાદ : થોડા સમય પહેલાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને AMC સફાળા જાગ્યાં હતા. ત્યારે શહેરમાં ટ્રાફિક કંટ્રોલ થાય તે માટે અનેક પગલાં લેવામાં આવ્યા હતા.AMC દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે સારૂ વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઇન્સટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહે૨નાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર હાથ ધરાઈ છે.

ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર “ટાયર કિલર બમ્પ” લગાડવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદીઓ AMC ના નિર્ણયને આવકારી રહ્યા છે તો બીજી તરફ આ બમ્પને કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની? શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા માટે “ટાયર કિલર બમ્પ”થી લોકોના જીવ જોખમમાં મૂકવા શું વાજબી છે? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. જેનો જવાબ કદાચ અધિકારીઓ પાસે પણ નહિ હોય.

ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે રોડ ડૂબી જશે અને જે લોકો ચાલતા હશે તેમને આ દેખાશે નહીં, જેથી આ ખીલા વાગી શકે તેવા છે. આ ઉપરાંત 108 ઈમરજન્સી સેવાની જ્યારે જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં જે જગ્યાએ ઝડપથી પહોંચવું હશે ત્યાં પહોંચી શકશે નહીં. એટલે કે એમ્બ્યુલન્સને પણ ફરી ફરીને જવું પડશે. એટલે આ પ્રકારનો પ્રયોગ લાંબો પક્ષે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.આમ અમદાવાદીઓ એક તરફ આ પ્રયોગને આવકારી તો રહ્યા છે પરંતુ સાથે સાથે નકારી પણ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...