Sunday, January 25, 2026

અમદાવાદીઓએ જોખમી ‘ટાયર કિલર બમ્પ’નો પ્રયોગને આવકાર્યો પણ જો જાનહાનિ થશે તો જવાબદાર કોણ?

spot_img
Share

અમદાવાદ : થોડા સમય પહેલાં એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને AMC સફાળા જાગ્યાં હતા. ત્યારે શહેરમાં ટ્રાફિક કંટ્રોલ થાય તે માટે અનેક પગલાં લેવામાં આવ્યા હતા.AMC દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે સારૂ વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઇન્સટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહે૨નાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર હાથ ધરાઈ છે.

ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર “ટાયર કિલર બમ્પ” લગાડવામાં આવ્યા છે. એક તરફ અમદાવાદીઓ AMC ના નિર્ણયને આવકારી રહ્યા છે તો બીજી તરફ આ બમ્પને કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની? શહેરમાં રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા માટે “ટાયર કિલર બમ્પ”થી લોકોના જીવ જોખમમાં મૂકવા શું વાજબી છે? આવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. જેનો જવાબ કદાચ અધિકારીઓ પાસે પણ નહિ હોય.

ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે રોડ ડૂબી જશે અને જે લોકો ચાલતા હશે તેમને આ દેખાશે નહીં, જેથી આ ખીલા વાગી શકે તેવા છે. આ ઉપરાંત 108 ઈમરજન્સી સેવાની જ્યારે જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં જે જગ્યાએ ઝડપથી પહોંચવું હશે ત્યાં પહોંચી શકશે નહીં. એટલે કે એમ્બ્યુલન્સને પણ ફરી ફરીને જવું પડશે. એટલે આ પ્રકારનો પ્રયોગ લાંબો પક્ષે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.આમ અમદાવાદીઓ એક તરફ આ પ્રયોગને આવકારી તો રહ્યા છે પરંતુ સાથે સાથે નકારી પણ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...