Wednesday, March 18, 2026

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં, લોકઅપમાં ન રાખવા 4 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં સપડાયા છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની અરજી સંદર્ભે કાર્યવાહી ના કરવા માટે લાંચ માંગી હતી. ફરિયાદી જોડે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ સતર્કતાથી એન્ટી લાંચ રિશ્વત વિભાગનો સંપર્ક કરી આ બાબતે ફરિયાદ કરતા ACB દ્વારા લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ માટે છટકુ ગોઠવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નારોલ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલી કર્ણાવતી પોલીસ ચોકીમાં નિર્મલસિંહ હમલભાઈ પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નારોલમાં રહેતા એક યુવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની અરજી થઇ હતી. જેની તપાસ કર્ણાવતી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ નિર્મલસિંહ કરતા હતા. અરજીની તપાસમાં યુવાન સામે 151 (અટકાયતી પગલાં) હેઠળ કાર્યવાહી કરવાની હતી. જો કે નિર્મલસિંહે યુવાનની 151 કર્યા બાદ લોકઅપમાં નહીં રાખીને બારોબાર કોર્ટમાં રજૂ કરી દઈ જામીન ઉપર મુકત કરવાની વાત કરી હતી. જેના માટે નિર્મલસિંહે યુવાન પાસે રૂ.20 હજાર માગ્યા હતા. રકઝકના અંતે રૂ.4 હજાર નક્કી થયા હતા. પરંતુ યુવાન નિર્મલસિંહને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી.

દરમિયાનમાં નિર્મલસિંહે ગુરુવારે પૈસા લઈને યુવાનને કર્ણાવતી પોલીસ ચોકીમાં જ બોલાવ્યો હતો. આ અંગે યુવાને ACBના અધિકારીઓને જાણ કરતા તેમણે છટકું ગોઠવ્યું હતું. જેના ભાગ રૂપે યુવાન પોલીસ ચોકીમાં ગયો હતો અને નિર્મલસિંહ સાથે વાત કરીને તેને પૈસા આપતાંની સાથે જ ACBની ટીમે નિર્મલસિંહને ઝડપી લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...