Monday, January 19, 2026

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં, લોકઅપમાં ન રાખવા 4 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ACBના છટકામાં સપડાયા છે. મળતી માહિતી મુજબ ફરિયાદીની અરજી સંદર્ભે કાર્યવાહી ના કરવા માટે લાંચ માંગી હતી. ફરિયાદી જોડે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ માંગી હતી. જો કે ફરિયાદીએ સતર્કતાથી એન્ટી લાંચ રિશ્વત વિભાગનો સંપર્ક કરી આ બાબતે ફરિયાદ કરતા ACB દ્વારા લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ માટે છટકુ ગોઠવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નારોલ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવેલી કર્ણાવતી પોલીસ ચોકીમાં નિર્મલસિંહ હમલભાઈ પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. નારોલમાં રહેતા એક યુવાન વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની અરજી થઇ હતી. જેની તપાસ કર્ણાવતી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ નિર્મલસિંહ કરતા હતા. અરજીની તપાસમાં યુવાન સામે 151 (અટકાયતી પગલાં) હેઠળ કાર્યવાહી કરવાની હતી. જો કે નિર્મલસિંહે યુવાનની 151 કર્યા બાદ લોકઅપમાં નહીં રાખીને બારોબાર કોર્ટમાં રજૂ કરી દઈ જામીન ઉપર મુકત કરવાની વાત કરી હતી. જેના માટે નિર્મલસિંહે યુવાન પાસે રૂ.20 હજાર માગ્યા હતા. રકઝકના અંતે રૂ.4 હજાર નક્કી થયા હતા. પરંતુ યુવાન નિર્મલસિંહને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે ACBમાં ફરિયાદ કરી હતી.

દરમિયાનમાં નિર્મલસિંહે ગુરુવારે પૈસા લઈને યુવાનને કર્ણાવતી પોલીસ ચોકીમાં જ બોલાવ્યો હતો. આ અંગે યુવાને ACBના અધિકારીઓને જાણ કરતા તેમણે છટકું ગોઠવ્યું હતું. જેના ભાગ રૂપે યુવાન પોલીસ ચોકીમાં ગયો હતો અને નિર્મલસિંહ સાથે વાત કરીને તેને પૈસા આપતાંની સાથે જ ACBની ટીમે નિર્મલસિંહને ઝડપી લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...