Wednesday, March 11, 2026

ચાણક્યપુરીમાં ટાયર કિલર બમ્પનું સુરસુરિયું ! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પ નો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે AMC દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી. ગત 2જી ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ AMCના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

AMC દ્વારા વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે AMC દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...