Wednesday, January 21, 2026

ચાણક્યપુરીમાં ટાયર કિલર બમ્પનું સુરસુરિયું ! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી ગઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલર બમ્પ નો ફરી એકવાર ફીયાસ્કો થયો છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે AMC દ્વારા કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 10 દિવસમાં કિલર બમ્પ ફ્લેટ થઇ ગયા છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકોને સીધાદોર કરવા માટે ટાયર કિલર બમ્પ લગાવાયા હતા. અને જો અહીંયા આ પહેલને સફળતા મળી તો અમદાવાદની 23 જગ્યાએ ઈન્સ્ટોલ કરવાનો પ્લાન હતો, પરંતુ અહીં તો કિલર બમ્પનું સૂરસૂરિયું થઈ ગયું છે. જેના કારણે અમદાવાદની 23 જગ્યાએ કિલર બમ્પ લગાવવા પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી કરી હતી. ગત 2જી ઓગસ્ટે ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા અને 4 ઓગસ્ટે તો સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ હતી. જે બાદ AMCના એન્જિનિયર વિભાગે તરત જ એજન્સી દ્વારા બમ્પને સરખા કરવાની કામગીરી શરૂ કરી હતી. ટાયર કિલરને લઈને આસપાસના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.

AMC દ્વારા વાહનચાલકોને સીધા કરવા માટે ટાયર કિલર બમ્પ તો લગાવવામાં આવ્યા. પરંતુ લોકો તેમ છતાં તેમાથી પસાર થતાં હોવાથી હવે ત્યાં તેમજ આસપાસ વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. આ સિવાય રોંગ સાઈડ વાહન ચલાવનારને દંડ ફટકારવા માટે હવે AMC દ્વારા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...