Wednesday, February 4, 2026

અમદાવાદનો કુશ પટેલ લંડનમાં ખોવાયો, ચાર દિવસથી ચિંતામાં ડૂબેલા પરિવારના શોધખોળ માટે પ્રયાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પાસેના વહેલાલ અને અમદાવાદના નવા નરોડાનો રહેવાસી કુશ પટેલ ચાર દિવસથી લંડનમાં ગુમ થયો છે. ચાર દિવસથી અમદાવાદના યુવાનનો કોઈ પતો લાગી રહ્યો નથી. જે અંગે 10 ઓગસ્ટે કુશ પટેલ ગુમ થયાની પરિવારને જાણ થઈ હતી. 10 ઓગસ્ટ પહેલા પરિવારનો 24 કલાક સુધી મોબાઇલ દ્વારા સંપર્ક ના થતા રૂમમેટ ને પૂછતા ગુમ થયાની જાણ થઈ હતી. જેના બાદ પરિવારે લંડનમાં વેમલી પોલીસ સ્ટેશનમાં કુશના ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી છે. જે ફરિયાદ કરતા યુવાન કુશની શોધખોળ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કુશ પટેલ બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર વર્ષ 2022માં લંડન ગયો હતો. જોકે લંડન પહોંચ્યાના બે અઠવાડિયા પછી જ તેને કોલેજે નોટિસ આપી જતા રહેવા કહ્યું હતું. કોલેજમાં અટેન્ડન્સના અભાવને પગલે તેને ફીને લઈને નોટિસ મળી હોવાનું કહેવાય છે. આ મામલામાં પરિવારે કોલેજની ફીની પ્રક્રિયા પુરી કરી દીધી હતી જે પછી તેને કાયદા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી હતી. જોકે એજન્ટ દ્વારા પ્રોસેસ ના થઈ શકતા પરિવારે જે લોન લઈને નાણાંની વ્યવસ્થા કરી હતી તે નાણાં કુશને પરત કરી દેવાયા હતા.

જોકે તે અરસામાં બેથી ત્રણ મહિનામાં જ કુશના વિઝા પુરા થઈ રહ્યા હતા. કુશ પટેલ પરિવારને આ બાબતે શું કહેશે તેની ચિંતામાં હતો. ત્યારે અચાનક તે મોબાઈલ બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાની શંકા ઊભી થઈ છે. આ જેને પગલે હવે લંડન પોલીસ તપાસ કરી રહી છે. કુશ પટેલના ગુમ થયા બાદ તેને શોધવા માટે ચિંતાતૂર પરિવાર આકાશ પાતાળ એક કરવા સમાન પ્રયાસ કરી રહ્યા છે. તેમજ પરિવારે ગુજરાત સરકાર પાસે પણ મદદ માટે રજૂઆત કરી છે, જેથી કુશ પટેલ જલ્દી મળી આવે. પરિવારમાં કુશ અને તેના માતા અને પિતા અને દાદી છે, આમ પરિવારમાં એક જ દીકરો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...